/connect-gujarat/media/post_banners/5b3e4b92937456f9d4b9086f9ecc6f2191dc8a4f1ccab2c93ed682662dbfbd88.jpg)
આદિવાસી સમાજના અગ્રણી અને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આદિવાસી સમાજના અગ્રણી અને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આદિવાસી સમાજ તેમજ સામાજિક સંગઠનો દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આદિવાસીઓની સમસ્યાઓને વાંચા આપનાર અને આદિવાસી સમાજને જાગૃત કરતા યુવા નેતા તેમજ સાચી, સ્પષ્ટ અને તયસ્ત વાત કરનાર ચૈતર વસાવા સામે રાજકીય કિન્નનાખોરી રાખી ખોટી FIR કરવામાં આવી હોવાનો આદિવાસી સમાજે આક્ષેપ કર્યો હતો. આ સાથે જ આમોદ તાલુકા આદિવાસી સમાજ તેમજ સામાજિક સંગઠનો દ્વારા જય બિરસા, જય આદિવાસી, જય જોહરના પોકાર સાથે આમોદ મામલતદાર કચેરી ગજવી મુકી હતી.