ભરૂચ : PMની સુરક્ષામાં ચુક મામલે ભાજપનો કિસાન મોરચો આવ્યો મેદાનમાં

ખેડુત આંદોલનનું એપી સેન્ટર રહેલાં અને કોંગ્રેસનું શાસન છે તેવા પંજાબમાં વડાપ્રધાનનો કાફલો અટવાવાની ઘટના બાદ ભાજપે શરૂ કરેલો ધરણાનો સિલસિલો યથાવત રહયો છે.

New Update
ભરૂચ : PMની સુરક્ષામાં ચુક મામલે ભાજપનો કિસાન મોરચો આવ્યો મેદાનમાં

ખેડુત આંદોલનનું એપી સેન્ટર રહેલાં અને કોંગ્રેસનું શાસન છે તેવા પંજાબમાં વડાપ્રધાનનો કાફલો અટવાવાની ઘટના બાદ ભાજપે શરૂ કરેલો ધરણાનો સિલસિલો યથાવત રહયો છે. ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે કિસાન મોરચાના આગેવાનો અને કાર્યકરોએ મૌન ધરણા કર્યા હતાં.

પંજાબમાં વડાપ્રધાનનો કાફલો 20 મિનિટ સુધી અટવાયેલો રહયો હતો. આ ઘટનાને ભાજપ મુદ્દો બનાવી દેશભરમાં મૌન ધરણા કરી રહી છે. આજરોજ ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે ભરૂચ જિલ્લા કિસાન મોરચાના ઉપક્રમે મૌન ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કાળા માસ્ક પહેરીને આવેલાં આગેવાનો અને કાર્યકરોએ મૌન ધરણા કર્યા હતાં. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.