ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન,રક્તદાતાઓએ કર્યું રક્તદાન

New Update
ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન,રક્તદાતાઓએ કર્યું રક્તદાન

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ક્રેડિટ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

ભરૂચમાં કાર્યરત ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેવા ભાવનાથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સોસાયટીના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

ભરૂચ: મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું સંમેલન યોજાયું, તા.2જી જુલાઈએ આંદોલનની જાહેરાત

ભરૂચમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.2જી જુલાઈએ યોજાનાર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું સંમેલન યોજાયું

  • વિવિધ પ્રશ્ને આંદોલનની કરાય જાહેરાત

  • તા.2જી જુલાઈએ કરાશે વિરોધ પ્રદર્શન

  • વેતન સહિતના પ્રશ્ને કરાશે રજુઆત

ભરૂચમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.2જી જુલાઈએ યોજાનાર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી
ભરૂચ શક્તિનાથ નજીક  આવેલા લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાની  ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું હતું.મધ્યાહન ભોજન યોજનામાં ગુજરાત રાજ્યમાં 96,000 કરતાં વધુ અને દેશભરમાં 25 લાખ કર્મચારીઓ કાર્યરત છે. આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે, છતાં તેમને માત્ર રૂ. 2500 થી રૂ. 4500 સુધીનું માનદ વેતન મળે છે.
આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા, તેના વિરોધરૂપે આગામી 2 જુલાઈ 2025 ના રોજ સમગ્ર દેશમાં જિલ્લાના કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણાં, રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે જે અંગેની રણનીતિ આ સંમેલનમાં ઘડવામાં આવી હતી.
Latest Stories