Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ત્રાલસા ગામે કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જનસભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

ભરૂચની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાના પ્રચાર અર્થે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જનસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા

X

ભરૂચની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાના પ્રચાર અર્થે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જનસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા

ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહયો છે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે ભરૂચના ત્રાલસા ગામે કેન્દ્રિયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે તેઓએ ત્રાલસ અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકો સાથે મુલાકાત કરી હતી. આ જનસભામાં વાગરા બેઠકના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જનસભામાં પુરુષોત્તમ રૂપાલાએ તેમના આગવા અંદાજમાં કોંગ્રેસ અને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા

તો આ તરફ કેન્દ્રિયમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાતમાં આ વખતે ભાજપ ઐતિહાસિક જીત મેળવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

Next Story