ભરૂચ : નાતાલ પર્વ નિમિત્તે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દી-બાળકોને કરાયું ચોકલેટ-બિસ્કિટનું વિતરણ
108 ઈમરજન્સી સેવા દ્વારા કરાય નાતાલ પર્વની ઉજવણી, સિવિલ હોસ્પિટલમાં દર્દી-બાળકોને ચોકલેટ-બિસ્કિટનું વિતરણ
BY Connect Gujarat25 Dec 2021 8:48 AM GMT
X
Connect Gujarat25 Dec 2021 8:48 AM GMT
માનવજાત માટે વરદાનરૂપ 108 સેવા કટોકટીના સમયમાં સર્વશ્રેષ્ઠ સેવા પ્રદાન કરવાની સાથે જ વિશ્વાસનું પણ પર્યાય બની છે, ત્યારે નાતાલ પર્વ નિમિત્તે 108 ઈમરજન્સી સેવા દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
તા. 25 ડિસેમ્બરના રોજ દુનિયાભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે 108 ઈમરજન્સી સેવા દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટના કર્મચારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને બાળકોને ચોકલેટ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ તથા એમ.એચ.યુના PC સચિન સુથાર સહિત મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Next Story