ભરૂચ: કોંગ્રેસનું 'બેરોજગારી હટાવો' અભિયાન અંતર્ગત રોજગાર કચેરી સામે વિરોધ પ્રદર્શન

‘બેરોજગારી હટાવો’ અભિયાન અંતર્ગત કોંગ્રેસનું પ્રદર્શન, જિલ્લા રોજગાર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરાયું.

New Update
ભરૂચ: કોંગ્રેસનું 'બેરોજગારી હટાવો' અભિયાન અંતર્ગત રોજગાર કચેરી સામે વિરોધ પ્રદર્શન

ભરૂચમાં 'બેરોજગારી હટાવો' અભિયાન અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

રાજયભરમાં કોંગ્રેસ દ્વારા સરકારની પાંચ વર્ષની ઉયજવણીના જુદા જુદા સરકારી કાર્યક્રમોની સામે સમાંતર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સતત પાંચમા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું અને 'બેરોજગારી હટાવો' અભિયાન અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી પાસે કોંગી કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ અને નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત ભાજપ સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રોજગાર કચેરીને તાળાબંધીનો કાર્યક્રમ આપાયો હતો. જોકે, તાળાબંધી પૂર્વે જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.