Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના ગડખોલ ગામના તળાવમાંથી યુવાનનો મળ્યો મૃતદેહ, પોલીસે શરૂ કરી તપાસ

અંકલેશ્વરના અંદાડા ગામના મોટુ ફળિયાના લાપત્તા બનેલ યુવાનનો મૃતદેહ ગડખોલના જી.એન.એફ.સી તળાવમાંથી મળી આવ્યો હતો

ભરૂચ: અંકલેશ્વરના ગડખોલ ગામના તળાવમાંથી યુવાનનો મળ્યો મૃતદેહ, પોલીસે શરૂ કરી તપાસ
X

અંકલેશ્વરના અંદાડા ગામના મોટુ ફળિયાના લાપત્તા બનેલ યુવાનનો મૃતદેહ ગડખોલના જી.એન.એફ.સી તળાવમાંથી મળી આવ્યો હતો

અંકલેશ્વરના અંદાડા ગામના મોટુ ફળિયામાં રહેતા ૩૫ વર્ષીય સુરેશ વસાવા શનિવારના રોજ લાપત્તા બન્યો હતો જેની પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં મળી આવ્યો ન હતો જે ૩૫ વર્ષીય યુવાનનો ગડખોલ ગામ પાસે આવેલ જી.એન.એફ.સી તળાવમાંથી મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગેની જાણ બી ડીવીઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story