Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસરના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ

જંબુસર નગર સેવાસદનના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

X

ભરૂચના જંબુસર નગર સેવાસદનના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

ભરૂચના જંબુસર નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય ઉભુ થયુ છે ત્યારે શહેરના ભાણખેતર ગામ ખાતે પૌરાણિક ગણપતિજીનુ મંદિર તેમજ વૈષ્ણવ સમાજના બેઠકજીનુ મંદિર આવેલું છે.દરરોજ સવાર સાંજ ભક્તો દ્વારા દર્શન કરવા માટે ભીડ જામે છે પરંતુ ગટરના ગંદા પાણીના કારણે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગંદકી તેમજ મચ્છરોના ત્રાસથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story