ભરૂચ: જંબુસરના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ

જંબુસર નગર સેવાસદનના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

New Update
ભરૂચ: જંબુસરના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ

ભરૂચના જંબુસર નગર સેવાસદનના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

ભરૂચના જંબુસર નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય ઉભુ થયુ છે ત્યારે શહેરના ભાણખેતર ગામ ખાતે પૌરાણિક ગણપતિજીનુ મંદિર તેમજ વૈષ્ણવ સમાજના બેઠકજીનુ મંદિર આવેલું છે.દરરોજ સવાર સાંજ ભક્તો દ્વારા દર્શન કરવા માટે ભીડ જામે છે પરંતુ ગટરના ગંદા પાણીના કારણે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગંદકી તેમજ મચ્છરોના ત્રાસથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories