Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા 'સભ્ય નોંધણી' અને 'જન જાગૃતિ અભિયાન' અંતર્ગત કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સભ્ય નોંધણી તેમજ જન જાગરણ અંગેની સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

X

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સભ્ય નોંધણી તેમજ જન જાગરણ અંગેની સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ રાજકીયપક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ જન જાગૃતિ અભિયાન રાજયભરમાં ચાલી રહ્યું છે તેની સાથે જ સભ્ય નોંધણી અભિયાન પણ ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે જિલ્લા કોંગ્રેસ દ્વારા 'સભ્ય નોંધણી' અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ શહેરના શક્તિનાથ વિસ્તાર પાસે આવેલા પંડિત ઓમકાનાથ હૉલ ખાતે 'જન જાગૃતિ અભિયાન' અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુનાથ શર્મા સહિત એ.આઈ.સી.સી.ના સેક્રેટરી બિશ્વરંજન મોહંતી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, સાંસદ નારણ રાઠવા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લાના અને તાલુકા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story