ભરૂચ : કંબોઇમાં મહાશિવરાત્રીનો ભરાયો મેળો, સમુદ્રના પાણીથી આપમેળે થાય છે અભિષેક

જંબુસરના કંબોઇ ખાતે આવેલાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીના દિવસે ભાતીગળ મેળો ભરાયો...કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે.

New Update
ભરૂચ : કંબોઇમાં મહાશિવરાત્રીનો ભરાયો મેળો, સમુદ્રના પાણીથી આપમેળે થાય છે અભિષેક

ભરૂચના જંબુસરના કંબોઇ ખાતે આવેલાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીના દિવસે ભાતીગળ મેળો ભરાયો...કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરના દર્શન માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે. સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતેનું શિવલિંગ દિવસમાં બે વખત દરિયાના પાણીમાં ગરકાવ થઇ જાય છે. ભરતીમાં શિવલિંગ પાણીમાં અદ્રશ્ય થઇ જાય છે તો ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરેધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેમ જણાય છે.મહા શિવરાત્રીના દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતાં.

Read the Next Article

ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું

અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

New Update
bharuch
ભરૂચ જિલ્લામાં આવેલ નદી, તળાવ, નહેર, દરીયા વગેરે જેવા જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં જિલ્લામાં આવેલા કુલ 67 ભયજનક સ્થળો પર પ્રવાસીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Jahernamu

જાહેરનામામાંથી માછીમારી સાથે સંકળાયેલ લોકો તેમજ સરકારી ફરજ પર રોકાયેલ કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ:-

Pratibandh