ભરૂચ : રામનવમી નિમિત્તે VHP અને બજરંગ દળ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાય...

New Update
ભરૂચ : રામનવમી નિમિત્તે VHP અને બજરંગ દળ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાય...

શ્રીરામ મહોત્સવની ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણી

Advertisment W3.CSS

VHP અને બજરંગ દળ દ્વારા યોજાય શોભાયાત્રા

શહેરના રાજમાર્ગો શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યા

ભરૂચ જીલ્લામાં શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં ઠેર ઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામનવમી નિમિત્તે ભરૂચના સોનેરી મહેલથી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી, ત્યારે ભગવાન શ્રીરામના નારાઓથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આમંત્રિત મહેમાનોના હસ્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તો નગરજનો પણ જય શ્રી રામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા.

ભરૂચ જિલ્લામાં શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાભરમાં નાની મોટી કુલ 26 જેટલી શોભાયાત્રાઓ વિવિધ વિસ્તારોમાંથી કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાઓ શાંતિપ્રિય માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડા દ્વારા 5 ડીવાયએસપી, 25 પી.આઈ-પીએસઆઇ સહિત 800થી વધુ પોલીસ કર્મચારીઓને તેનાત કરવામાં આવ્યા હતા

Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે. 
Latest Stories