ભરૂચ: છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી નિકળી,મોટી સંખ્યામાં લોકો જોડાયા

છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું.

New Update
ભરૂચ: છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી નિકળી,મોટી સંખ્યામાં લોકો જોડાયા

છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું.

Advertisment

આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત રેલીઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો વિશાળ બાઇક રેલીમાં જોડાયા હતા ત્યારે આ બાઇક રેલી ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સાઈ મંદિરથી પ્રસ્થાન કરી રેલ્વે સ્ટેશન રોડ થઈ પાંચબત્તી, શક્તિનાથ, શ્રવણ ચોકડી થઈ અયોધ્યાનગર ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જોકે શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે માત્ર રેલી જ નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.