ભરૂચ: વલસાડની હદમાં મારામારી કરી કાર સહીત મોબાઈલ,લેપટોપ લઈને ભાગેલ બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ

વલસાડની હદમાંથી મારામારી કરી કાર સહીત મોબાઈલ,લેપટોપ લઈને ભાગેલ બે ઈસમોને મુલદ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા હતા

New Update
ભરૂચ: વલસાડની હદમાં મારામારી કરી કાર સહીત મોબાઈલ,લેપટોપ લઈને ભાગેલ બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે વલસાડની હદમાંથી મારામારી કરી કાર સહીત મોબાઈલ,લેપટોપ લઈને ભાગેલ બે ઈસમોને મુલદ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ભરૂચ કંટ્રોલમાંથી મેસેજ મળ્યા હતા કે વલસાડની હદમાંથી મારામારી કરી બે ઈસમો કાર નંબર-જી.જે.૧૫.સી.એલ.૮૩૩૩ લઇ ભાગેલ છે જેઓ કામરેજ પાસ કરી ભરૂચ તરફ આવી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે મુલદ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી લેપટોપ અને પાંચ મોબાઈલ ફોન તેમજ ૪ લાખની કાર મળી કુલ ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ યુપીના અને હાલ ઉમરગામ જી.આઈ.ડી.સી.કોલોની પાસેની એકતા સોસાયટીમાં રહેતો ભરતસિંઘ ઓમપ્રકાશસિંઘ ચંદેલ અને કમલ ઉર્ફે કમલેશ શંકરલાલ જાટને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.