Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આવીધા ગામે બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 65 હજારની ચોરી કરી ફરાર થયા...

દુકાનના કાઉન્ટરમાં રહેલ પાકીટમાંથી રોક્ડ ૩૦ હજાર તથા દુકાનના ગલ્લામાંથી 35 હજાર રૂપીયાની ચોરી

ભરૂચ : આવીધા ગામે બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 65 હજારની ચોરી કરી ફરાર થયા...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના આવીધા ગામે બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાંથી રૂ. 65 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના અવિદ્યા ગામે રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ધરાવતા ધર્મેશ અગ્રવાલે સવારે દુકાન ખોલી સાંજે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતા.

આ દરમ્યાન બંધ દુકાનનો લાભ લઈ તસ્કરોએ દુકાનનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી દુકાનના કાઉન્ટરમાં રહેલ પાકીટમાંથી રોક્ડ ૩૦ હજાર તથા દુકાનના ગલ્લામાંથી 35 હજાર રૂપીયાની ચોરી ફરાર થઈ ગયા હતા. જોકે, બીજા દિવસે રાબેતા મુજબ દુકાનદાર ધર્મેશ અગ્રવાલ દુકાન ખોલવા આવતા ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં સમગ્ર મામલે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો રાજપારડી પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે...

Next Story