ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીક એકતાનગરથી નવસારી જતી એસટી. બસને અકસ્માત નડ્યો, મુસાફરોનો આબાદ બચાવ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા જિલ્લા (એકતાનગર)થી નવસારી તરફ જતી એસટી. બસને અકસ્માત નડ્યો હતો,

New Update
ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીક એકતાનગરથી નવસારી જતી એસટી. બસને અકસ્માત નડ્યો, મુસાફરોનો આબાદ બચાવ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા જિલ્લા (એકતાનગર)થી નવસારી તરફ જતી એસટી. બસને અકસ્માત નડ્યો હતો, ત્યારે બસના ચાલકની સમય સૂચકતાથી 53 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર, એકતાનગર (કેવડીયા)થી નવસારી તરફ જઇ રહેલી એસટી. બસને ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક અકસ્માત નડતા 53 મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે, આ અકસ્માતમાં કોઇ જાનહાની નહીં થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગે સ્થળ પરથી એસટી. બસના ચાલક તેમજ કંડકટરે જણાવ્યું હતું કે, એકતાનગર (કેવડીયા)થી અંદાજે 53 જેટલા મુસાફરો બેસાડી એસટી. બસ નવસારી તરફ જઇ રહી હતી. તે દરમિયાન ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક ભુંડવા ખાડી પાસે એક ટ્રકના ચાલકે સિગ્નલ દેખાડ્યા વગર આકસ્મિક ટર્ન લેતા એસટી. બસને અકસ્માત નડ્યો હતો. જોકે, એસટી. બસના ચાલકે ભારે હિંમત દાખવી સ્ટેરીંગ પરનો કાબુ જાળવી રાખ્યો હતો, અને મુસાફરોની સલામતી જાળવવા એસટી. બસને નજીકના ખાડામાં ઉતારી તમામ મુસાફરોનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. આ સાથે જ સ્થાનિકો અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ બચાવ કાર્ય હાથ ધરી નાની મોટી ઇજા પામેલા મુસાફરોને નજીકના દવાખાને પહોચાડવાની વ્યવસ્થા કરી હતી.

Read the Next Article

ભરૂચ : પીઢ કવિ સ્વ. પ્રભુદત્ત ભટ્ટને "બુધ કવિ સભા" અંતર્ગત શબ્દાંજલિ સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરાય...

"બુધ કવિ સભા"માં હાજર દિગ્ગજ અને નવોદિત કવિઓ અને કવયિત્રીઓ દ્વારા આ સાહિત્ય જગતના વડલા સમાન સ્વ. પ્રભુદત્ત ભટ્ટ સાહેબ પ્રત્યેની આગવી સંવેદનાઓ અને શબ્દાંજલિ પાઠવી હતી.

New Update
gja;;

ભૃગુકચ્છ પ્રદેશના સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ભરૂચમાં ચાલતી અગ્રેસર સાહિત્યિક સંસ્થાઓ જેવી કેબુધ કવિ-સભાશબ્દ સાંનિધ્ય અને ભરૂચ જિલ્લા સાહિત્ય વર્તુળ જેવી સંસ્થાઓ માટે સ્થાપકપ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક તરીકે જોડાયેલા પીઢ કવિસાહિત્યકાર સ્વ. પ્રભુદત્ત ભટ્ટના આકસ્મિક અવસાન બાદ છવાયેલી ગમગીનીને અનુસરીને ગત તા. 2જી જુલાઈ 2025ને બુધવારના રોજ "બુધ કવિ-સભા" અંતર્ગત તેઓને શબ્દાંજલિ આપવા એક'શ્રદ્ધાસુમનકાર્યક્રમનું આયોજન શ્રવણ વિદ્યાધામ ખાતે થયું હતું.

"બુધ કવિ સભા"માં હાજર દિગ્ગજ અને નવોદિત કવિઓ અને કવયિત્રીઓ દ્વારા આ સાહિત્ય જગતના વડલા સમાન સ્વ. પ્રભુદત્ત ભટ્ટ સાહેબ પ્રત્યેની આગવી સંવેદનાઓ અને શબ્દાંજલિ પાઠવી હતી. સદર બુધ કવિ-સભાએ'શ્રદ્ધાસુમનઉપક્રમમાં હાજર રહેલ સૌ શિક્ષણ જગતના અગ્રણીઓરાજ્યના તેમજ ભરૂચ જિલ્લાના પ્રથમ હરોળના કવિઓ અને કવયિત્રીઓએ કરેલ સ્વ. પ્રભુદત્ત ભટ્ટના કાવ્ય સંગ્રહોમાંથી ચુનંદા કાવ્યોનું કાવ્યપઠન અને સ્વરચિત રચનાઓ થકી પાઠવેલ ભાવપૂર્ણ શબ્દાંજલિ અર્પણ કરી કવિકર્મનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વ્યથા ના કદી મ્હોં જુબાની રહી છે,

તમારી કથામાં ખુમારી રહી છે.

ભલે હોય નાનાં છતાં માન આપો,

તમારી ગજબ‌ ખાનદાની રહી છે.

તમે વ્હાલ આપોસદા ખ્યાલ રાખો,

મહોબત તમારી નિશાની રહી છે.

તમે શ્વાસ લીધાં કવિતા સ્વરૂપે,

તમારી અલગ જિંદગાની રહી છે.

તમારા સ્મરણમાં નયન મારા ભીનાં,

ને ભીની ને ભીની કહાની રહી છે.

'અભિગમ'

આ સભામાં ઉંમર અથવા પ્રતિકૂળ સંજોગોને કારણે હાજર ન રહી શકનાર સર્વે મહાનુભાવોના ભાવ સંદેશાઓ વાંચનમાં લઈ સવિશેષ નોંધ લીધી હતી. શ્રવણ વિદ્યાધામ તરફથી સતત ગુજરાતી ભાષાની વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે પીઠબળ પૂરું પાડવામાં અગ્રેસર હોવાને કારણે અભિભૂત "બુધ કવિ-સભા"ના સભ્યો દ્વારા વ્યક્ત કૃતજ્ઞતાભાવ નોંધાવે છે. સ્વ. પ્રભુદત્ત ભટ્ટના મૃત્યુ પર્યંતની આ સમગ્ર'શ્રદ્ધાસુમનબેઠકનું સુંદર સંચાલન કરતાં જે.સી.વ્યાસ ભાવવિભોર થયા હતાજ્યારે જતીન પરમારે સૌનો આભાર વ્યક્ત કરી હાજર રહેલ દિવંગતના કુટુંબીજનોની વિશેષ હાજરી વચ્ચે સ્વ. પ્રભુદત્ત ભટ્ટના આત્માને દિવ્ય પરમ શાંતિ પાઠવી અંતરપ્રાર્થી બન્યા હતા.