ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીક એકતાનગરથી નવસારી જતી એસટી. બસને અકસ્માત નડ્યો, મુસાફરોનો આબાદ બચાવ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા જિલ્લા (એકતાનગર)થી નવસારી તરફ જતી એસટી. બસને અકસ્માત નડ્યો હતો,

New Update
ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીક એકતાનગરથી નવસારી જતી એસટી. બસને અકસ્માત નડ્યો, મુસાફરોનો આબાદ બચાવ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા જિલ્લા (એકતાનગર)થી નવસારી તરફ જતી એસટી. બસને અકસ્માત નડ્યો હતો, ત્યારે બસના ચાલકની સમય સૂચકતાથી 53 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

Advertisment W3.CSS

મળતી માહિતી અનુસાર, એકતાનગર (કેવડીયા)થી નવસારી તરફ જઇ રહેલી એસટી. બસને ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક અકસ્માત નડતા 53 મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે, આ અકસ્માતમાં કોઇ જાનહાની નહીં થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગે સ્થળ પરથી એસટી. બસના ચાલક તેમજ કંડકટરે જણાવ્યું હતું કે, એકતાનગર (કેવડીયા)થી અંદાજે 53 જેટલા મુસાફરો બેસાડી એસટી. બસ નવસારી તરફ જઇ રહી હતી. તે દરમિયાન ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક ભુંડવા ખાડી પાસે એક ટ્રકના ચાલકે સિગ્નલ દેખાડ્યા વગર આકસ્મિક ટર્ન લેતા એસટી. બસને અકસ્માત નડ્યો હતો. જોકે, એસટી. બસના ચાલકે ભારે હિંમત દાખવી સ્ટેરીંગ પરનો કાબુ જાળવી રાખ્યો હતો, અને મુસાફરોની સલામતી જાળવવા એસટી. બસને નજીકના ખાડામાં ઉતારી તમામ મુસાફરોનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. આ સાથે જ સ્થાનિકો અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ બચાવ કાર્ય હાથ ધરી નાની મોટી ઇજા પામેલા મુસાફરોને નજીકના દવાખાને પહોચાડવાની વ્યવસ્થા કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત

મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ  મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

New Update
aaa

તાલુકા મથક હાંસોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ  મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

Advertisment W3.CSS
આગામી સમયમાં એટલે કે 7 મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઇદનો તહેવાર આવે છે. ત્યારે હાંસોટ દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા તે અર્થે હાંસોટ પોલીસ મથકમાં પી.આઈ.વી.એ.લાકોડની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી.દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપુર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં હિન્દૂ- મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
Latest Stories