ભરૂચ: અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધી માર્ગનું થશે સમારકામ

અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું

New Update
ભરૂચ: અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધી માર્ગનું થશે સમારકામ

અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું

અંકલેશ્વર શહેરમાં ચોમાસાની સિઝનમાં ખાબકેલ ભારે વરસાદને પગલે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે આ માર્ગોનું પેચવર્ક કરવામાં આવે તેવી માંગણીને ધ્યાનમાં રાખી અંકલેશ્વર નગર પાલિકા દ્વારા રાજ્ય સરકારના પૂર્વ તૈયારીની ગ્રાન્ટમાંથી 23 લાખના ખર્ચે અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી માર્ગનું રિકાર્પેટિંગ કરવા મંજૂરી મળી છે જે માર્ગનું આજરોજ નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા અને કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે બાદ શહેરના અન્ય માર્ગનોનું પણ 65 લાખના ખર્ચે રિકાર્પેટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સ્થાનિક નગર સેવકો અને સ્થાનિક દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories