ભરૂચ: અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધી માર્ગનું થશે સમારકામ

અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું

New Update
ભરૂચ: અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધી માર્ગનું થશે સમારકામ

અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું

Advertisment

અંકલેશ્વર શહેરમાં ચોમાસાની સિઝનમાં ખાબકેલ ભારે વરસાદને પગલે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે આ માર્ગોનું પેચવર્ક કરવામાં આવે તેવી માંગણીને ધ્યાનમાં રાખી અંકલેશ્વર નગર પાલિકા દ્વારા રાજ્ય સરકારના પૂર્વ તૈયારીની ગ્રાન્ટમાંથી 23 લાખના ખર્ચે અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી માર્ગનું રિકાર્પેટિંગ કરવા મંજૂરી મળી છે જે માર્ગનું આજરોજ નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા અને કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે બાદ શહેરના અન્ય માર્ગનોનું પણ 65 લાખના ખર્ચે રિકાર્પેટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સ્થાનિક નગર સેવકો અને સ્થાનિક દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment