ભરૂચ: ત્રણ મોટા પ્રોજેકટમાં જમીન સંપાદનનું યોગ્ય વળતર નહીં ચૂકવાતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ

ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સંપાદન થતી જમીનના વળતરના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું

New Update
ભરૂચ: ત્રણ મોટા પ્રોજેકટમાં જમીન સંપાદનનું યોગ્ય વળતર નહીં ચૂકવાતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ

ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક્ષપ્રેસ વે , ભાડભૂત બેરેજ અને બુલેટટ્રેન યોજનામાં સંપાદન થતી જમીનના વળતરના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું હેમા કલેક્ટરને આવેદનપત્ર દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેકટ સમા બુલેટટ્રેન , ભાડભૂત બેરેજ અને એકસપ્રેસ - વે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા અંકલેશ્વર , ભરૂચ અને આમોદમાંથી પસાર થાય છે.જેમાં સંપાદિત થયેલ જમીનના વળતરના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી અસરગ્રસ્ત ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી તેથી વધુ એકવાર આ મુદ્દે ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અન્ય જિલ્લાની સરખામણીએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં નહીં આવે તો આંદોલન કરવામાની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.