મંત્રી પુર્ણેશ મોદી એક નજર આ તરફ પણ નાંખો, જુઓ રસ્તાઓના કેવા છે હાલ

રાજયના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ખાડા પુરો અભિયાન શરૂ કર્યું છે પણ ભરૂચનો નંદેલાવ ફલાયઓવર અને અંકલેશ્વરમાં ઉમા ભવન પાસે આવેલાં ફાટક પાસે રસ્તાના ખસ્તા હાલ છે.

New Update
મંત્રી પુર્ણેશ મોદી એક નજર આ તરફ પણ નાંખો, જુઓ રસ્તાઓના કેવા છે હાલ

રાજયના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ખાડા પુરો અભિયાન શરૂ કર્યું છે પણ ભરૂચનો નંદેલાવ ફલાયઓવર અને અંકલેશ્વરમાં ઉમા ભવન પાસે આવેલાં ફાટક પાસે રસ્તાના ખસ્તા હાલ છે.

ચોમાસામાં મોટાભાગના રસ્તાઓ ધોવાય જતાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયાં હતાં. દરમિયાન રાજયમાં નવા મુખ્યમંત્રી અને નવા પ્રધાનોની વરણી કરવામાં આવી.. માર્ગ અને મકાન વિભાગના મંત્રી તરીકે પુર્ણેશ મોદીની પસંદગી કરવામાં આવી.. પદ સંભાળતાની સાથે તેમણે રસ્તાઓ પર ખાડા પુરવાનું કામ હાથ પર લીધું અને શરૂ થયું ખાડા પુરો અભિયાન... લોકોએ તેમના વિસ્તારના ખરાબ રસ્તાઓના ફોટા મંત્રીને મોકલ્યાં અને ખાડાઓ પુરાય પણ ગયાં.. પણ ભરૂચનો નંદેલાવ ફલાયઓવર અને અંકલેશ્વરના ઉમાભવન પાસેનું ફાટક આમાં અપવાદ રહી ગયાં છે. અંકલેશ્વરના ઉમાભવન પાસે આવેલા ફાટક પાસે અઢીથી ત્રણ ઇંચ ઉંડા ખાડા પડી ગયાં છે. ખાડાઓના કારણે વાહનોને પણ નુકશાન થઇ રહયું છે.

હવે વાત કરીશું ભરૂચના નંદેલાવ ફલાયઓવર બ્રિજની... નંદેલાવ ફલાયઓવર પરથી રોજના હજારો ભારદારી વાહનો પસાર થાય છે. બ્રિજ પર આવેલો રસ્તો દર વર્ષે ઉબડખાબડ બની જાય છે. આ બ્રિજના તો સળિયા પર બહાર દેખાવા લાગ્યાં છે. દર વર્ષે રસ્તાની મરામત માટે લાખો રૂપિ્યાનો ખર્ચ કરવામાં આવે છે પણ રસ્તો બિસ્માર બની જાય છે. બ્રિજ પરના ખાડાઓના કારણે પીક અવર્સમાં ટ્રાફિકજામની સમસ્યા જોવા મળે છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.