Connect Gujarat
ભરૂચ

“અમે ફળિયાના ડોન છે, તમારે અમોને સેલ્યુટ મારવાની” કહી ભરૂચ પાલિકા કર્મીને માર માર્યો..!

વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે ગત તા. 15મી ફેબ્રુઆરીના રોજ થયેલ મારામારીના CCTV વિડીયો વાયરલ થયા

X

જુનીવાડી વસંત મિલની ચાલમાં થઈ હતી મારામારી

રસ્તો આપવા જેવી નજીવી બાબતે 2 ઇસમો ઉશ્કેરાયા

“અમે ફળિયાના ડોન છે” કહી પાલિકા કર્મીને માર માર્યો

ઇજાગ્રસ્ત પાલિકા કર્મચારીને સારવાર અર્થે ખસેડાયો

એ’ ડિવિઝન પોલીસ મથકે મારમારીની ફરિયાદ નોંધાય

ભરૂચ શહેરના જુનીવાડી વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે ગત તા. 15મી ફેબ્રુઆરીના રોજ થયેલ મારામારીના CCTV વિડીયો વાયરલ થયા છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના જુનીવાડી વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે રહેતા વિનોદ લક્ષ્મણ સોલંકી કે, જેઓ ગત તા. 15મી ફેબ્રુઆરીના રોજ બપોરે નગરપાલિકા ખાતે નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા.

તે દરમિયાન ફળિયામાં આવેલ સાંઇ મંદિર નજીક ફળિયામાં રહેતા જ 2 ઇસમો રસ્તામાં ઊભા હોય જેથી વિનોદ સોલંકીએ તેઓને રસ્તો આપવા કહેતા જ બન્ને ઇસમો ઉશ્કેરાઈ ગયા હતા, જ્યાં “અમે ફળિયાના ડોન છે, તમારે અમોને સેલ્યુટ મારવાની” કહી વિનોદ સોલંકીને માર માર્યો હતો.

જે ઝઘડામાં વચ્ચે પડી માતા અને કાકા-કાકીએ વિનોદ સોલંકીને છોડાવી ઘરે લઈ આવ્યા હતા. તે વેળા બન્ને ઇસમો પાછળ પાછળ ઘર સુધી આવી છુટ્ટી ઈંટો મારી હતી. આ સાથે જ મોપેડ અને ઘરમાં રહેલ ઘરવખરીને પણ નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઇજાગ્રસ્તના પરિજનોએ આક્ષેપ કર્યો હતો, ત્યારે હાલ તો સમગ્ર મામલે એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. જોકે, આ ઘટનાના 9 દિવસ બાદ મારામારીના CCTV વિડીયો વાયરલ થયા છે.

Next Story