“વિશ્વ આરોગ્ય દિવસ” : ભરૂચ-અંકલેશ્વરના સાયાકલીસ્ટ દ્વારા યોજાય સાયકલ યાત્રા…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
“વિશ્વ આરોગ્ય દિવસ” : ભરૂચ-અંકલેશ્વરના સાયાકલીસ્ટ દ્વારા યોજાય સાયકલ યાત્રા…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે તા. 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા ભરૂચ-અંકલેશ્વરથી હાંસોટ સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને સ્વાસ્થ પ્રત્યે જાગૃત કરવા યોજાયેલી આ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટે જણાવ્યું હતું કે, આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા "મારૂ સ્વાસ્થ, મારો અધિકાર" થીમ આધારિત વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ સાથે જ લોકોએ પણ દરરોજ એક કલાક પોતાની જાત માટે ફાળવી સાયક્લિંગ, રનિંગ, વોકિંગ અથવા અન્ય કોઈપણ પ્રકારની કસરત તથા સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે. જો વ્યક્તિ સ્વસ્થ હશે તો જ સ્વસ્થ સમાજ બનશે તેથી દરેક વ્યક્તિએ "મારૂ સ્વાસ્થ, મારી જવાબદારી“ સૂત્રને અપનાવી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વના નિર્માણ માટે સૌકોઈને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.