ભાવનગર : રોપેક્સ ફેરી સર્વિસમાં મંત્રી મનસુખ માંડવીયા હજીરાથી ઘોઘા પહોંચ્યા
BY Connect Gujarat8 Nov 2020 4:18 PM GMT
X
Connect Gujarat8 Nov 2020 4:18 PM GMT
હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી રવિવારે સાંજે ઘોઘા ખાતેના રો-પેક્સ ટર્મિનલ ખાતે આવી પહોંચી હતી. કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ફેરીમાં સુરત ખાતેથી બેસી ઘોઘા સુધીની મુસાફરી કરી હતી. સાંસદ ભારતીબેન શિયાળ, મેયર મનહરભાઈ મોરી ,જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબહેન મકવાણા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા એ ઉપસ્થિત રહી પ્રથમ રો-પેક્સ ફેરીનું સ્વાગત કર્યું હતું.
આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત નગરજનોએ ભારત માતાના જય નાદ સાથે રો-પેક્સ ફેરીને વધાવી લીધી હતી.
Next Story