ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં ૮ હજાર રખડતાં ઢોરો પકડાયા

ગુજરાતમાં રખડતા ઢોર સામે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા રાજ્યમાં ત્રણ જ દિવસમાં કુલ 8 હજાર ઢોર પકડવામાં આવ્યા છે

New Update

ગુજરાતમાં રખડતા ઢોર સામે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા રાજ્યમાં ત્રણ જ દિવસમાં કુલ 8 હજાર ઢોર પકડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ દિવસમાં કુલ 844 ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે ગુજરાતમાં હજુ 40% જેટલા ઢોર પકડવાના બાકી છે જેને પકડવા તંત્રના અધિકારીઓ અને ટીમો કામે લાગી છે.રાજ્યમાં કુલ 52 હજાર 62 જેટલા ઢોર હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

8 મનપામાં 31 હજાર 952 અને 156 પાલિકામાં 20,110 ઢોર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 33 હજાર 806 ઢોર પકડવામાં આવ્યા છે.ચાલુ વર્ષે રાજ્યના 8 મહાનગરોમાં 23 હજાર 369 અને પાલિકામાં 10 હજાર 437 ઢોર પકડવામાં આવ્યા છે. ચાલુ વર્ષે રખડતા ઢોર અંગે 8 મહાનગરોમાં 841 ફરિયાદ નોંધાઈ છે. જ્યારે 156 નગરપાલિકામાં 3 ફરિયાદ નોંધવામાં આવી છે. હાઇકોર્ટના આકરા વલણ બાદ તંત્ર એ આળસ ખંખેરી લીધી છે. ત્યારે ભાવનગર મનપાએ રખડતા ઢોર સામે કામગીરી હાથ ધરી હતી. મનપાએ 4 દિવસમાં 18 રખડતા ઢોર પકડ્યા છે. 2 ટીમ બનાવી આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો રાજ્યમાં દરેક માનપામાં પણ તંત્ર આકરા પાણીએ થયું છે

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories