New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/8-4.jpg)
શુક્રવારના રોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટી, ભીલીસ્તાન ટાઈગર સેના અને યુથ પવાર સહિતના આદિવાસી સંગઠનો આગેવાન અનીલ ભગત, પ્રકાસ દેસાઈ અને રજની વસાવા દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યા અનુસાર બંધારણીય હક્કો,ચુંટણી કાર્ડ અને અન્ય કાર્ડ જેવું બજેટ કાર્ડ આપવામાં આવે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીને પગલે અમુક લોકો દ્વારા આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે સરકાર આદિવાસી સમાજના હિત માટે યોગ્ય પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે.