કેન્દ્ર સરકારે ચંદ્રયાન -3 પ્રોજેક્ટને આપી મંજૂરી, આ મહિનામાં શરૂ કરાશે અંતરિક્ષ યાત્રીઓનું પ્રશિક્ષણ
BY Connect Gujarat1 Jan 2020 9:22 AM GMT
X
Connect Gujarat1 Jan 2020 9:22 AM GMT
ISRO પ્રમુખ કે. સિવને આજરોજ મહત્વનો નિર્ણય લેતા જણાવ્યુ, સરકારે ચંદ્રયાન-3 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે, અન્ય સ્પેસ પોર્ટના નિર્માણ માટે ભૂમિ અધિગ્રહણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સ્પેસ પોર્ટ તમિલનાડુના તુતુકુડીમાં બનાવવામાં આવશે.
ચંદ્રયાન-2નું
ઓર્બિટર આપણને હજુ સાત વર્ષ સુંધી માહિતી આપશે
ISRO પ્રમુખ કે. સિવને વધુમાં જણાવ્યું કે, અમે ચંદ્રયાન-2 મિશન દરમિયાન ખુબ સારા પ્રયત્નો
કર્યા હતા પરંતુ અમે તેને
ચંદ્રની સપાટી પર ન ઉતારી શક્યા. જોકે તેનું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે.
આ ઓર્બિટર આપણને આગામી સાત વર્ષ સુધી વૈજ્ઞાનિક માહિતી આપશે.
ISRO પ્રમુખ કે. સિવને વધુમાં જણાવ્યુ ગગનયાન મિશન માટે 4 લોકોની પસંદગી કરવામાં આવી છે. દરેક અંતરિક્ષ યાત્રીઓનું પ્રશિક્ષણ આ મહિનાના ત્રીજા સપ્તાહથી શરૂ થશે.
Next Story