CM વિજય રૂપાણીએ વહેલી સવારે આદ્યશકિત માં અંબાજીના પૂજન અર્ચન કરી દિવસનો પ્રારંભ કર્યો
BY Connect Gujarat24 Jun 2020 5:41 AM GMT
X
Connect Gujarat24 Jun 2020 5:41 AM GMT
ગુજરાતનાં મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન 3 મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈ કાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિન્ડ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને આજે સવારે જગદમ્બા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.
મુખ્ય મંત્રીએ લોકડાઉનની સ્થિતિ બાદ પ્રથમ વાર અમદાવાદ ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆત આદ્યશકિત જગત જનનીના દર્શન અર્ચનથી કરી હતી.તેમણે આદ્યશકિત માં અંબાજી સમગ્ર માનવ જાતને કોરોનાના આ સંકટમાંથી સલામત પાર ઉતારે તેવી મનોકામનાઓ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી માં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે.
Next Story