રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

New Update
રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

નવી દિલ્હી સ્થિત રાજનાથ સિંહના પુત્ર ઉત્તરપ્રદેશના નોઈડમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પંકજ સિંહ કોરોમાં વાઇરસથી સંક્રમિત થયા છે. તેમણે ગઇકાલે કોરોનાના હળવા લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો હતો. અને ડોક્ટરની સલાહ લઈ હોસ્પિટલમાં દાખલ થયા છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થઇને તપાસ કરવા જણાવ્યું હતું.

પંકજસિંહ ટ્વીટ કરીને લખ્યું છે કે તેમણે કોરોનાના લક્ષણ દેખાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરની સલાહ અનુસાર તે હોસ્પિટલમાં દાખલ થયાં છે. મારી સલાહ છે કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તે લોકો કૃપા કરીને આઇસોલેટ થઇને પોતાની તપાસ કરાવે.

Read the Next Article

ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારનો થયો અકસ્માત,બે લોકોના મોત ત્રણ ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

New Update
MixCollage-27-Jul-2025-08-53-PM-5345

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જવાનું કારણ ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની સાઈડ પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય ૩ લોગો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે અવિધા ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.  સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ ખરાબ રસ્તો નિર્દોષ લોકોના જીવનો ભોગ લઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી બને છે.