Connect Gujarat
ગુજરાત

દલિત યુવક વરઘોડા વિવાદ: વરઘોડામાં ઇજાગ્રસ્ત થયેલા અશ્વનું સારવાર દરમિયાન મોત

દલિત યુવક વરઘોડા વિવાદ: વરઘોડામાં ઇજાગ્રસ્ત થયેલા અશ્વનું સારવાર દરમિયાન મોત
X

મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડા સમયે સર્જાયેલા ઘર્ષણમાં ગંભીર રીતે ઘવાયેલા અશ્વનું આખરે મોત થયું છે. વરઘોડા સમયે પથ્થરમારો થયો હતો. જેમાં અશ્વને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. અશ્વને ગંભીર ઇજાઓ થતા માથાના ભાગે ટાંકા પણ લેવાયા હતા. તેર દિવસથી મોત સામે ઝઝૂમ્યા બાદ ચૌદમાં દિવસે અશ્વનું મોત થતાં વરરાજા પક્ષ સહિત ઘોડાના માલિક ઘેરા શોકમાં ઘરકાવ થયા છે.

ખંભીસર વરઘોડામાં ઈજાગ્રસ્ત બનેલ અશ્વનું મોત નિપજતા મોડાસા રૂરલ પોલીસે અશ્વના મૃતદેહનું મોડાસા પશુ દવાખાને પીએમ કરાવ્યું હતું. વરઘોડામાં ઘર્ષણ થયા પછી ઘર્ષણમાં ટોળા સામે થયેલી ફરિયાદમાં પશુવધ ની વધુ એક કલમ નો ઉમેરો કરવા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Next Story