Connect Gujarat
Featured

ડાંગ : નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી નેરોગેજ ટ્રેનને લાગી “બ્રેક”, જુઓ કેમ

ડાંગ : નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી નેરોગેજ ટ્રેનને લાગી “બ્રેક”, જુઓ કેમ
X

ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેન બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી ટ્રેનનો પણ સમાવેશ કરાયો હોવાના કારણે વઘઇના વેપારી મંડળમાં નારાજગી જોવા મળી રહી છે.

નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ સહિત રાજ્યની કુલ ૧૧ નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ગુજરાતની આ 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહીં હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે તેવો એક પત્ર ચર્ચગેટ મુંબઇ ખાતે ને મોકલી આપ્યો છે. ડાંગના વઘઇ ખાતે વેપારી મંડળને આ બાબતની જાણ થતાં સરપંચ સહિત વેપારી મંડળના ચાર સભ્યો રેલવે સ્ટેશને પહોંચી સ્ટેશન માસ્ટરને મળવા પહોંચ્યાં હતાં.

ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય એ માટે પ્રયત્નો કરવા રજુઆત કરી હતી. ડાંગના વેપારીઓનું કહેવું છે કે દેશમાં અનેક રેલવે લાઈન ખોટ કરે છે તો એ તમામ ને બંધ કરી દેવામાં આવશે, ગુજરાતમાં એકતરફ કરોડોના ખર્ચે બુલેટ ટ્રેન દોડવવાની તૈયારી થતી હોય ત્યારે ઐતિહાસિક ધરોહર એવી આ નેરોગેજ ટ્રેન ને પ્રવાસન વિભાગને સુપરત કરી ચાલુ રાખવામાં આવે તો લોકોને સુવિધા પણ મળી રહેશે અને સરકારને થતી ખોટ પણ પુરાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ નેરોગેજ ટ્રેનો ૧૦૦ વર્ષ અગાઉ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજ સરકાર પાસે શરૂ કરાવી હતી. જેમાં ઊંડાણવાળા જંગલોમાં રહેતા આદિવાસી સમાજના લોકોને સુવિધા મળે અને ત્યાં અંગ્રેજો અને સાગી ઇમારતી, સીસમના લાકડાની લાવવાની સુવિધા ઊભી થઈ હતી કાળક્રમે વાહન વ્યવહાર વધવાની સાથે આ નેરોગેજ નો પ્રવાસ લાંબો લાગતાં લોકોએ તેનો ઉપયોગ ઓછો કર્યો હતો. પરિણામે તેને ચલાવવુ રેલવે માટે ખોટનો ધંધો થયો હતો. તેમાં વીજળી ડીઝલ ના ભાવમાં વધારો હોય સ્ટાફ વિગેરે નો પ્રશ્ન હોય એમ દિન-પ્રતિદિન આ ટ્રેનો ચલાવવી રેલવેની પરવડતી ન હતી. આથી તેણે આજરોજ આ ગુજરાતની તમામ ૧૧ નેરોગેજ ટ્રેનનો ને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Next Story