Connect Gujarat
ગુજરાત

DGP કોન્ફરન્સને ઘ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની નિરીક્ષણ-મુલાકાતે પહોંચ્યા CM રૂપાણી

DGP કોન્ફરન્સને ઘ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની નિરીક્ષણ-મુલાકાતે પહોંચ્યા CM રૂપાણી
X

સાધુબેટ કેવડીયામાં વિવિધ પ્રવાસન સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કરી યાત્રી સુવિધા-સવલતોનો વ્યાપ વિસ્તારવા સુચનાઓ આપી

કેવડીયાને વિશ્વ પ્રવાસન ધામ બનાવવા વર્લ્ડ કલાસ સુવિધા વિકસાવવા માર્ગદર્શન

સ્થાનિક યુવાનોની ગાઇડસ તરીકેની કામગીરી નિહાળી પ્રેરણાદાયી સૂચનો આપ્યા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નર્મદા જિલ્લાના મુખ્યમંત્રી શુક્રવારે સવારે મુખ્યસચિવ ડૉ. જે. એન. સિંહ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન રાઠૌર તેમજ વરિષ્ઠ સચિવો-અધિકારીઓ સાથે કેવડીયા પહોચ્યા હતા.તેમણે સાધુબેટ ખાતેની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા તેમજ સમગ્ર પરિસરની મુલાકાત લઇને બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતું. વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટસિટી, એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ સ્થળ, વોલ ઓફ યુનિટી તેમજ પરિસરના મ્યૂઝિયમ વગેરે સ્થળોએ પ્રવાસન આકર્ષણ સંદર્ભમાં સ્વચ્છતા અને સુવિધાઓની જાળવણી અંગે તેમણે ગહન ચર્ચાઓ કરી માર્ગદર્શન આપ્યુ હતું.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="75120,75121,75122,75123,75124,75125,75126"]

મુખ્યમંત્રીએ પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કેવડીયા ખાતે આગામી ર૦ થી રર ડિસેમ્બર દરમ્યાન દેશના રાજ્યોના પોલીસ મહાનિદેશકો – ડી.જી.પી. કોન્ફરન્સ યોજાશે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આ કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરશે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેવાના છે. આ ડી.જી.પી. કોન્ફરન્સના સંદર્ભમાં પણ પૂર્વતૈયારીઓ અને વ્યવસ્થાની સમીક્ષા તેમણે કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, દિવાળીના તહેવારો દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રોજ ૩૦ હજારથી વધુ પ્રવાસીઓ આવતા હતા. આ પ્રવાસીઓને વ્યવસ્થામાં જે મુશ્કેલી પડી તેનું પણ નિવારણ લાવી પ્રવાસન સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા સંબંધિત વિભાગો અને જિલ્લાતંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રીએ સ્વાગત કક્ષના પરિસરમાં પ્રવાસીઓ માટે ગાઇડ તરીકે સેવાઓ આપી રહેલા ગાઇડસ તાલીમાર્થીઓના વર્ગખંડની મુલાકાત લઇ સંવાદ કર્યો હતો. પ્રવાસી મુલાકાતીઓને અપાતી સમજનું નિદર્શન નિહાળ્યું હતું.તેમણે ગાઇડસને ભાવનાત્મક રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના અન્ય આકર્ષણોની સમજ પૂરી પાડવા અને પ્રવાસીઓ જાણકારી માટે ગાઇડસ જકડી રાખે તેવી પરિસ્થિતીનું નિર્માણ કરવાની શીખ આપી હતી.

મુખ્યમંત્રીએ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લઇ જવા માટે બસોની સુવિધા વધારવા માટે આગામી જાન્યુઆરી માસથી વધારાની બસો શરૂ કરવા, ફૂડ કોર્ટ ખાતે પ્રવાસીઓને ગુજરાતી, પંજાબી અને સાઉથ ઇન્ડીયન ખાન-પાન મળી રહે, વ્યુ પોઇન્ટ ખાતે ટ્રેડીશનલ વસ્તુઓના વેચાણ સ્ટોલ, બોટીંગની સુવિધા,અન્ય રાજ્ય તથા વિદેશી પ્રવાસીઓને સરદાર સાહેબના જીવનને ભાવાત્મક રીતે સમજાવી શકે તે માટે અંગ્રેજી-હિન્દીના જાણકાર ગાઇડસની વ્યવસ્થા કરવા સહિત જરૂરી કેટલીક રચનાત્મક સૂચનો કર્યા હતાં.મુખ્યમંત્રીએ આ વ્યવસ્થાઓ વ્યાપક બનાવવા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ પ્રવાસન ધામ વિશ્વ પ્રવાસન કેન્દ્ર બનવાનું છે ત્યારે અહિં વર્લ્ડ કલાસ સુવિધાઓ ઊભી કરવા માટે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યુ હતું. જળસંપત્તિ અને પંચાયત વિભાગના અગ્ર સચિવ એ. કે રાકેશ, નર્મદા નિગમના જોઇન્ટ એમ.ડી. સંદીપકુમાર, જિલ્લા પ્રભારી સચિવ એસ. જે. હૈદર, જિલ્લા કલેક્ટર આર. એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નર્મદા યોજના પુનવર્સનના કમિશનરઅને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડમીનીસ્ટ્રેટર આઇ. કે. પટેલ, પ્રવાસન નિગમના એમ.ડી. જેનુ દેવન વગેરે આ વેળાએ જોડાયા હતાં.

Next Story