New Update
-
ભરૂચમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી
-
ભક્તો મહાદેવની આરાધનામાં બન્યા લીન
-
ભાંગની પ્રસાદીનું કરાયુ વિતરણ
-
રામેશ્વર યુવક મંડળ દ્વારા વિતરણ કરાયુ
-
પ્રસાદી માટે ભક્તોની લાંબી કતાર
આજરોજ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ભક્તોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યુ હતું ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર જિલ્લા પંચાયત નજીક આવેલ રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
રામેશ્વર મહાદેવ મંદિરે દિવસભર સ્થાનિક યુવક મંડળ દ્વારા હજારો લિટર ભાંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાંગની પ્રસાદી ગ્રહણ કરવા ભકતોની લાંબી કતાર જોવા મળી હતી. ભગવાન શંભુની આરાધના સાથે ભક્તોએ ભગવાનની પ્રસાદી સ્વરૂપ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી હતી.
Latest Stories