Home > અન્ય > ધર્મ દર્શન > ભાવનગર : રૂવાપરી માતાજી મંદિરના 580માં પાટોત્સવની ઉજવણી કરાય, ભાવનગરના યુવરાજ રહ્યા ઉપસ્થિત
ભાવનગર : રૂવાપરી માતાજી મંદિરના 580માં પાટોત્સવની ઉજવણી કરાય, ભાવનગરના યુવરાજ રહ્યા ઉપસ્થિત
BY Connect Gujarat Desk30 Aug 2023 2:45 PM GMT
X
Connect Gujarat Desk30 Aug 2023 2:45 PM GMT
રૂવાપરી માતાજી મંદિરનો 580મો પાટોત્સવ યોજાયો
યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતી
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો નગરજનોએ લ્હાવો લીધો
ભાવનગરમાં રૂવાપરી માતાજી મંદિરના 580માં પાટોત્સવ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવચંડી યજ્ઞમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર વસાવવાની સૌપ્રથમ પ્રેરણા આપીને અખા ત્રીજના પાવનકારી મહાપર્વે ભાવનગરના તોરણ બંધાવનાર ભગવતી રૂવાપરી માતાજી મંદિરનો 580મો પાટોત્સવ ભાવનગરવાસીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. રાજાશાહી વખતથી પ્રતિવર્ષ દરમિયાન અહી શ્રાવણ માસના ચારેય સોમવાર, સાતમ-આઠમ, ભાદરવી અમાસે ભાતીગળ લોકમેળો ભરાય છે. શ્રાવણ માસમાં ખાસ કરીને સાતમ-આઠમ પર્વ નિમિત્તે માઇભક્તોની ભારે ભીડ જોવા મળશે.
Next Story