ગીર સોમનાથ : મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનો સાગર ઉમટ્યો

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે,અને મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો

New Update
  • સોમનાથમાં ભક્તોનો છલકાયો સાગર

  • સોમનાથ બન્યું શિવ ભક્તિમાં લિન

  • મહાશિવરાત્રીએ મહાદેવને કરાયો વિશેષ શૃંગાર 

  • મંદિર ટ્રસ્ટ વિદ્યાર્થીઓને કરશે પેનનું વિતરણ

  • પૂર્વ CM વિજય રૂપાણીએ પણ કર્યા મહાદેવના દર્શન 

Advertisment

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે,અને મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.આ પર્વ અંતર્ગત મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પેનનું પણ વિતરણ કરવામાં આવશે.જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરિવારજનો સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે એક વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતોજે આગામી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે સમર્પિત હતો. ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ વિદ્યાર્થીઓ પર રહે અને તેઓ સફળતા પ્રાપ્ત કરે તેવી મંગલ કામના સાથે આ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.

ભગવાનના શૃંગારમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ખાસ પેન પણ મૂકવામાં આવી હતીજે આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં વેરાવળ શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. આ પેન ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ રૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવશેજેથી તેઓ શાંતિ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે.

ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદથી તેઓ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરેઆ પેન વિતરણએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને તેમને ભગવાનના આશીર્વાદથી જોડી રાખવાનો એક નાનકડો પ્રયાસ છે.

વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સોમનાથ મંદિર ટ્રસ્ટના આ પ્રયાસને ખૂબ જ સરાહના કરી હતી અને ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.આ ઉપરાંત ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરિવારજનો સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

Advertisment
Read the Next Article

ઉત્તરાખંડ: કૈંચી ધામમાં ભક્તો નીમ કરોલી બાબાને ધાબળા કેમ ચઢાવે છે? જાણો તેના વિશે

નીમ કરોલી બાબા વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ પહેલા શરીર પર ફક્ત ધોતી પહેરતા હતા અને પોતાને ધાબળોથી ઢાંકતા હતા. બાબાના ચમત્કારોમાં તેમના ધાબળાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

New Update
NIM KAROLI BABA

ઉત્તરાખંડના નૈનીતાલમાં સ્થિત બાબા નીમ કરોલીનું કૈંચી ધામ આજકાલ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. દેશ-વિદેશથી લાખો લોકો બાબા નીમ કરોલીના દર્શન કરવા માટે તેમના આશ્રમમાં આવે છે. નીમ કરોલી બાબા વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ પહેલા શરીર પર ફક્ત ધોતી પહેરતા હતા અને પોતાને ધાબળથી ઢાંકતા હતા. બાબાના ચમત્કારોમાં તેમના ધાબળાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

Advertisment

બાબા નીમ કરોલીના ધાબળાના ચમત્કારનો ઉલ્લેખ તેમના જીવનચરિત્ર અને ઘણા પુસ્તકોમાં જોવા મળે છે. આ કારણોસર, ઘણા લોકો તેમને ધાબળાના બાબા પણ કહે છે. કૈંચી ધામના પૂજારી કહે છે કે જો ઘરમાં કોઈ બીમાર હોય, તો તેણે ભક્તિભાવથી બાબાને ધાબળો ચઢાવવો જોઈએ. આમ કરવાથી દર્દીને રોગમાંથી રાહત મળે છે. 

ધાબળો ચઢાવ્યા પછી, ભક્તો તેને ઘરના કોઈ પવિત્ર સ્થળે રાખે છે.નીમ કરોલી બાબાનો ધાબળો આજે પણ લાખો લોકો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. લોકો બાબા વિશે કહે છે કે તેઓ પોતાના ધાબળાથી ઘણા ચમત્કારો બતાવતા હતા. આજે હજારો લોકો દરરોજ બાબાના દર્શન માટે નીમ કરોલી ધામ આવે છે. સામાન્ય લોકોની સાથે, મોટી હસ્તીઓ પણ બાબાના દર્શન માટે કૈંચી ધામ આવે છે.

Advertisment