પ્રયાગરાજ : ગુજરાત ટુરિઝમ પેવેલિયન બન્યું આકર્ષણનું કેન્દ્ર,ગુજરાતી ઉપરાંત અન્ય રાજ્યોના લોકોએ વ્યવસ્થાને બિરદાવી

પ્રયાગરાજ કુંભ મેળામાં ગુજરાત ટુરિઝમ પેવેલિયન દ્વારા પણ રાજ્યની ઓળખ સમા વિવિધ સ્થળોના ટેબ્લોની પ્રદર્શનની કરવામાં આવી છે,જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની

New Update
  • પ્રયાગરાજમાં છવાયું ગુજરાત ટુરિઝમ પેવેલિયન

  • મહાકુંભમાં શ્રદ્ધાળુઓ થયા આકર્ષિત

  • ગુજરાતની ઓળખસમાટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

  • કનેક્ટ ગુજરાતને પ્રવાસીઓએવર્ણવી ટુરિઝમની ખાસિયત

  • પ્રવાસીઓએગુજરાતનેજાણવા માટેકર્યોપ્રયાસ

પ્રયાગરાજમાં મહાકુંભમાં ઉમટતા જનસેલાબ માટે ઉત્તરપ્રદેશરાજ્ય સરકાર દ્વારા સુચારૂ વ્યવસ્થાતંત્રની ગોઠવણ કરવામાં આવી છે,જેમાં ખાસ કરીને ગુજરાત ટુરિઝમ પેવેલિયન દ્વારા પણ રાજ્યની ઓળખ સમા વિવિધ સ્થળોના ટેબ્લોનીપ્રદર્શનની કરવામાં આવી છે,જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.પ્રવાસીઓ દ્વારા કનેક્ટ ગુજરાતની ટીમ સાથે ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી.

ઉત્તરપ્રદેશના તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભ તેના મધ્યાહને પહોંચ્યો છે,અને દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે.ત્યારે શ્રદ્ધાના આ અવિસ્મરણીય અવસરમાંગુજરાત ટુરિઝમ દ્વારા પણ ગુજરાતની ઓળખને ઉજાગર કરતા પેવેલિયનમાં ટેબ્લોનીસુંદર પ્રદર્શની બનાવવામાં આવી છે.જેમાં દ્વારકા મંદિર,સોમનાથ મહાદેવ મંદિર,કચ્છનું સફેદ રણ,એશિયાટિક સિંહનુંગીરઅભ્યારણ,તરણેતરનો મેળો,મોઢેરાનું સૂર્ય મંદિર,સ્ટેચ્યુ ઓફ યુનિટી,નર્મદા ડેમ,સાબરમતી આશ્રમ સહિતના પ્રવાસન સ્થળોની ઝાંખીનીપ્રદર્શની મુકવામાં આવી છે.

પ્રયાગરાજમાં મહાકુંભમાં ઉમટી રહેલાજનસેલાબ માટે ગુજરાત ટુરિઝમ પેવેલિયનઆકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ગુજરાત ટુરિઝમના ઇન્ચાર્જ સાગર અરોડાએ આ અંગે કનેક્ટ ગુજરાતનેરસપ્રદ માહિતી આપી હતી,અને ગુજરાત ઉપરાંત દેશ વિદેશના પ્રવાસીઓ ગુજરાત ટુરિઝમ પેવેલિયનની મુલાકાત લઈને વિવિધ પ્રવાસન સ્થળોનેજાણવા અને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

જ્યારે ગુજરાત ટુરિઝમ પેવેલિયનની મુલાકાત લેતા પ્રવાસીઓએ કે જે ગુજરાત આવ્યા નથી તેવા પ્રવાસીઓએ પણ વિવિધ કલાકૃતિ નિહાળીનેગુજરાતનેજાણવાનો પ્રયાસ કર્યો હતો.તેમજ ગુજરાતના પ્રવાસીઓ માટે પ્રયાગરાજમાં ગુજરાત ટુરિઝમ માદરેવતન સમાન બની ગયું હતું.આ પ્રસંગે કનેક્ટ ગુજરાતનાસંવાદદાતા યોગેશ પારિકેગુજરાત ટુરિઝમના ઇન્ચાર્જસાગર અરોડા અને પ્રવાસીઓ સાથે વિશેષ વાતચીત કરી હતી,જેમાં પ્રવાસીઓએ પણ ગુજરાત ટુરિઝમની વ્યવસ્થાને બિરદાવી હતી.

Read the Next Article

ભરૂચ : તવરા મંગલમઠ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

તવરા ગામે નર્મદા નદીના કિનાર આવેલ મંગલમઠ ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ગુરુભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા

New Update
  • તવરા મંગલમઠ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાય

  • તવરા મંગલમઠના મહંત 108 ચેતનદાસ રહ્યા ઉપસ્થિત

  • ભજન કીર્તનમહાઆરતીગુરુઆશિષપ્રસાદીનું આયોજન

  • મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓની ઉપસ્થિતિ

  • આસપાસના ગામના ગુરુભક્તોએ આશીર્વચનનો લ્હાવો લીધો

ભરૂચ તાલુકાના તવરા મંગલમઠ ખાતે કબીર સંપ્રદાયના ભાઈ-બહેનો અને ગ્રામજનોને આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે મહંત 108 ચેતનદાસ સાહેબે આશીર્વાદ આપ્યા હતા.

ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનાર આવેલ મંગલમઠ ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતીજ્યાં વહેલી સવારથી જ ગુરુભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા. તવરા મંગલમઠના મહંત 108 ચેતનદાસએ સૌકોઈ ગુરુભક્તોને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ મંગલમઠ ખાતે ભજન કીર્તનમહાઆરતીગુરુ આશિષ તથા મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓ જોડાયા હતા. જુના તવરા ગામ પંચાયતમાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ સરપંચઉપસરપંચ તથા સભ્યો સહિત ગામના સામાજિક આગેવાનોનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓ તવરા મંગલમઠ ખાતે ગુરુ આશિષ માટે ઉમટી પડ્યા હતા.