Connect Gujarat
ધર્મ દર્શન 

સુરેન્દ્રનગર : ઇદે મિલાદ પર્વની મુસ્લિમ બિરાદરોએ કરી ઉજવણી, સાદાઈ પૂર્વક નીકળ્યા ઝુલુસ...

સુરેન્દ્રનગર : ઇદે મિલાદ પર્વની મુસ્લિમ બિરાદરોએ કરી ઉજવણી, સાદાઈ પૂર્વક નીકળ્યા ઝુલુસ...
X

સુરેન્દ્રનગર જીલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે ઈદે મિલાદની સાદાઈ પૂર્વક ઉજવણી કરાય હતી. ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે. જેઓની યાદમાં દેશભરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ દિવસે મુસ્લિમ બિરાદરો આખી રાત પ્રાર્થના કરે છે. મહમદ પયગંબરના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે.

ઇસ્લામ ધર્મનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. એવું કહેવાય છે કેમ આ દિવસે નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેઓ પર કયાં રહે છે, ત્યારે ઇદે મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે શરતી છૂટછાટ આપી છે. આ વર્ષે ગુજરાતમાં ઇદે મિલાદ નિમિત્તે સરકારે જૂલુસ કાઢવા પર લીલીઝંડી આપતા સુરેન્દ્રનગરમાં મુસ્લિમ બિરાદરોએ સંયમ અને શિસ્ત જાળવી ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. લીંબડી, ચુડા અને ચોટીલા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની ગાઇડલાઇન મુજબ ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. જોકે, ઝુલુસમાં વાહનો ઉપર પ્રતિબંધ હોવાથી ટૂંકા રૂટ બનાવી તમામ મુસ્લિમ બિરાદરો ચાલીને નીકળ્યા હતા. આ ઉપરાંત કોરોના મહામારીના કારણે ઈદે મિલાદની સાદાઈ પૂર્વક ઉજવણી કરાય હતી.

Next Story