મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ ધાબેથી પડતું મૂકી કરી આત્મહત્યા

આ સમયે મનોરંજન જગતમાંથી ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું.

આ
New Update

આ સમયે મનોરંજન જગતમાંથી ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. અનિલે આપઘાત કરીને જીવ ગુમાવ્યો છે. આ ઘટના બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે.

મામલાની માહિતી મળતા જ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પિતાના અવસાનથી અભિનેત્રી મલાઈકા અરોરા અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મલાઈકાના પિતાએ કર્યું સુસાઈડ

ન્યૂઝ એજન્સીને ટાંકીને - મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું બુધવારે સવારે લગભગ 9 વાગ્યે અવસાન થયું. તેણે મુંબઈના બાંદ્રામાં પોતાના ફ્લેટની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી.

આ ઘટના બાદ તરત જ પોલીસે તેના ઘરની બહાર ઘેરો ઘાલ્યો હતો. આ સિવાય મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ ત્યાં પહોંચ્યો છે. તેના પિતાએ આ રીતે આત્મહત્યા કરવી એ મલાઈકા માટે આઘાતથી ભરેલો છે અને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ આઘાતજનક સમાચાર છે.

#Mumbai #India #father #CGNews #Malaika Arora #suicide #committed suicide
Here are a few more articles:
Read the Next Article