એક જ આંબાના વૃક્ષ પર આવી 14 પ્રકારની કેરી, અમરેલીના ખેડૂતે લોકોને અચંબિત કર્યા…

એક જ આંબાના વૃક્ષ પર વિવિધ પ્રકારની કેરીઓ તમે ક્યારેક જોઇ છે, નહીં ને..! તો અમે આપને બતાવીશું એક એવા આંબાનું વૃક્ષ કે, જેના પર એક, બે, નહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે

New Update
  • ધારીના દિતલા ગામે એક જ આંબા પર લાગી વિવિધ કેરી

  • આંબાના વૃક્ષ પર 14 પ્રકારની અલગ અલગ કેરીઓ લાગી

  • પ્રગતિશીલ ખેડૂત દ્વારા વાડીમાં આંબાનો બગીચો ઉભો કરાયો

  • ખેડૂતે ખુટા કલમથી 14 પ્રકારની વિવિધ કેરીઓને વિકસાવી

  • ખેડૂતની મહેનત અને કેરીનું વૃક્ષ જોઈ લોકો નવાઈ પામ્યા

Advertisment

સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરીહાફુસ કેરીલંગડો કેરીનો ઉપયોગ કરતા હોય છેત્યારે એક જ આંબાના વૃક્ષ પર વિવિધ પ્રકારની કેરીઓ તમે ક્યારેક જોઇ છેનહીં ને..! તો અમે આપને બતાવીશું એક એવા આંબાનું વૃક્ષ કેજેના પર એકબેનહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે. તો ક્યાં છે આવો આંબો જોઈએ કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં...

આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દિતલા ગામ. દિતલા ગામમાં 20 વીઘાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે. તેઓએ પોતાની વાડીમાં પણ આંબાનો બગીચો ઉભો કર્યો છે. જેમાં 1 આંબાના વૃક્ષ પર અલગ અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ જોવા મળે છે. 

આ 14 પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહીં હોય તેવી અલગ અલગ જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે. વૈશાખ મહિનો આવું આવું થયો છેત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે. પણ આ એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પક્વનાર પ્રગતિશીલ ખેડૂતે ખુટા કલમથી આ કેરીઓને વિકસાવી છે.

એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે. સાદા આંબાના દેશી વૃક્ષ પર ખુટા મારીને આમ્રપાલીનીલમદશેરીબેગમનિલેશાન નામની કેરીઓની જાત વિકસાવી છે. ખેડૂત ઉકાભાઈ મહારાષ્ટ્ર ગયા હતાત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવાનો વિચાર આવ્યોને તે અંગે અન્ય તાલુકા મથકોથી ખેડૂતો આ એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ કેવી રીતે ઊગે છેતે જાણવા માટે પણ આવ્યા હતા.

આમ તોદરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળે અને આવી ક્યારેય ન જોઈ હોય કેનામ સાંભળ્યા ન હોય તેવી મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યમાં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના દીતલા ગામે એક જ આંબાના વૃક્ષ પર એક સાથે જોવા મળી રહી છે. ખેડૂત ઉકાભાઈની મહેનત અંગે ગર્વ કરતા સ્થાનિક લોકો પણ આ કેરીનું વૃક્ષ જોઈને નવાઈ પામ્યા છે.

બાગાયતી પાકોમાં આ એક જ આંબાના ઝાડ પર 14 કેરીઓ પાકે તે નવાઈ સાથે અદભુત કિસ્સો માનવામાં આવ્યો છે. આમ તોનાળીયેરોગુલાબીયોદાડમોસિંદુરીયકાળો જમાદારવરિયાળીયોસરદારપાયલોટઆષાઢીયો જેવી કેરીઓની 200 જાત નવાબ કાળમાં હતી. જેમાંથી હવે માત્ર કેસર કેરી જ જોવા મળતી હોયપણ અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે. તેવી કેરીઓ ખેડૂત ઉકા ભટ્ટીએ પોતાના વૃક્ષમાં આલ્બમની જેમ સાચવી રાખી છે.

Advertisment
Read the Next Article

ભાવનગર : કમોસમી વરસાદ અને ડુંગળીનાં ભાવ તળિયે જતા ધરતીપુત્રોની હાલત દયનીય બની,ખેડૂતે કર્યો કસ્તુરી સમાન પાકનો નાશ

મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે.પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો

New Update
  • મહુવામાં ખેડૂતોને પડતા પર પાટુ

  • સફેદ ડુંગળીના ભાવ નીચા મળતા નિરાશા

  • કમોસમી વરસાદે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી

  • ખેડૂતે રોટવેટર ફેરવીને ડુંગળીનો કર્યો નાશ

  • સરકાર પાસે પોષણક્ષમ ભાવ માટે કરી માંગ

Advertisment

ભાવનગર જિલ્લો ડુંગળી ઉત્પાદનનું મોટું હબ ગણાય છે.જેમાં ખાસ કરીને મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે. પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો હતો.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાવનગર જિલ્લામાં તળાજા,મહુવાગારીયાધાર,સાથે રાજુલા સહિતના વિસ્તારમાં ડુંગળી ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે.જ્યારે મહુવા પંથક અને આસપાસના વિસ્તારમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. તેમજ મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન પુષ્કળ હોવા થી મહુવા માર્કેટિંગ યાર્ડમાં અનેક ખેડૂતો ડુંગળી વેચવા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ છે.પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

જેને લઈને મહુવાના ઉગલવાણ ગામમાં ખેડૂતોએ સફેદ ડુંગળીના બસોથી ત્રણ સો વિઘાના ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યા છે. જેમાં એક ખેડૂત નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સતત ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 1 લાખ 75 હજાર ગુણીની આવક થઇ છે. પરંતુ ગરીબોની કસ્તુરી નો ભાવ પાણી ભાવે અને પડ્યા ઉપર પાટુ પડે એમ હરાજી બોલાઈ છે. ત્યારે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી મહુવા પંથકમાં સફેદ અને લાલ એમ બે વકલમાં તૈયાર થાય છે.મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ એક કિલોના 60 પૈસા થી ઉંચો ભાવ 8.95 ભાવ રહ્યો છે.જે ખેડૂતોને બિયારણના ભાવ કરતા પણ ઓછો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ સતત નીચા જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો સમય જોવા મળ્યો છે.અને કમોસમી વરસાદ અને બીજી બાજુ ડુંગળીના ભાવ તળિયે જતા મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજરોજ 1 મણનો નીચો ભાવ રૂપિયા 12 થી ઉંચો ભાવ રૂપિયા 170 મળ્યો હતો. જેને લીધે ડુંગળીના ભાવ ખેડૂતની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે.

Advertisment