-
ડીસામાં ગૌશાળામાં સર્જાઈ દુઃખદ ઘટના
-
ખોરાકી ઝેરની અસરથી 36 ગાયના મોત
-
ગૌશાળામાં 270 જેટલી ગાયોની કરાય છે સંભાળ
-
પશુચિકિત્સકે 15 ગાયના જીવ બચાવ્યા
-
ગાયોના મૃતદેહના પીએમ બાદ ભંડારવામાં આવી
બનાસકાંઠાના ડીસાના બલોધર ખાતે આવેલી ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં ફૂડ પોઈઝનીંગથી 36 ગાયોના મોત નિપજ્યા હોવાની ઘટનાથી ભારે ચકચાર મચી છે.જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠાના ડીસાના બલોધર ખાતે આવેલી ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં ફૂડ પોઈઝનીંગની ઘટના બની હતી.આ પાંજરાપોળમાં 270 જેટલી ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે. બુધવારે સાંજે ગાયોને ઘાસચારો નાંખવામાં આવ્યો હતો. તે ખાતાની સાથે 36 જેટલી ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ટપોટપ મોત નિપજ્યા હતા. પશુચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાના લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
પાંજરાપોળ સંચાલકને આ અંગે સવારે જાણ થતાં તેમણે નાયબ પશુપાલક નિયામક, પશુચિકિત્સા અધિકારીને કરતા ટીમ ઘટના સ્થળે આવી ગાયોનું પી.એમ કર્યું હતું,અને 15 જેટલી ગાયોની સારવાર કરી જીવ બચાવ્યો હતો. મૃત્યુ પામેલી ગાયોને જે.સી.બી દ્વારા ખાડો ખોદી ભંડારવામાં આવી હતી.