Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના 644 નવા કેસ નોધાયા, 500 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 644 નવા પોઝિટિવ કેસ કેસ નોંધાયા છે. બીજી તરફ 500 લોકો કોરોનામાંથી સાજા થયા

રાજ્યમાં આજે કોરોનાના 644 નવા કેસ નોધાયા, 500 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. જોકે આજે ગઇ કાલની સરખામણીએ કોરોના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 644 નવા પોઝિટિવ કેસ કેસ નોંધાયા છે. બીજી તરફ 500 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.73 ટકા નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી, રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10954 પહોંચી ગયો છે.

રાજ્યમાં આજે નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશન 268, સુરત કોર્પોરેશન 70, મહેસાણા 36, વડોદરા કોર્પોરેશન 32, ભાવનગર કોર્પોરેશન 23, સુરત 20, પાટણ 19, કચ્છ 17, ગાાંધીનગર 16, રાજકોટ 16, ગાાંધીનગર કોર્પોરેશન 15, વડોદરા 14, ભાવનગર 9, દેવભૂમિ દ્વારકા 9, વલસાડ 9, અમરેલી 8, અરવલ્લી 8, ભરૂચ 8, સુરેન્દ્રનગર 8, આણંદ 7, રાજકોટ કોર્પોરેશન 5, અમદાવાદ 4, ખેડા 4, નવસારી 4, પોરબાંદર 3, સાબરકાાંઠા 3, જામનગર કોર્પોરેશન 2, મોરબી 2, બનાસકાાંઠા 1, દાહોદ 1, જુનાગઢ 1, જુનાગઢ કોર્પોરેશન 1, તાપી 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 4776 એક્ટીવ કેસ છે જે પૈકી 7 વેન્ટીલેટર ઉપર જ્યાર 4769 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,27,001 પર પહોંચી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં 45,912 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,24,97,292 લોકોનું રસીકરણ થયું છે.

Next Story