78મો સ્વતંત્રતા દિવસ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ખેડામાં ભવ્ય ઉજવણી કરાય…

સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવવામાં આવ્યો હતો.

New Update

સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છેત્યારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવવામાં આવ્યો હતો.

ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ SRP કેમ્પ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યકક્ષાના ધ્વજવંદનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતોજ્યાં 78માં સ્વાતંત્ર્ય પર્વની આન.. બાન..શાન.. સાથે ઉજવણી કરવામાં આવી હતી. 'એક ભારત શ્રેષ્ઠ ભારતસૂર વચ્ચે SRP ગ્રાઉન્ડ રાષ્ટ્ર ભક્તિના રંગમાં રંગાયુ હતું. 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પોલીસ દ્વારા રાયફલ ડ્રીલ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન હેલિકોપ્ટરથી પુષ્પાવર્ષા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાષણ આપતા જણાવ્યુ હતું કેઆયુષ્યમાન ભારતપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સૌ નાગરિકો માટે આર્શિવાદ રૂપ બની છેઆ યોજનામાં ગુજરાતમાં 2 કરોડથી વધુ જરૂરિયાતમંદોને આરોગ્ય સેવા મળી રહી છે. તો બીજી તરફઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં જે વધારાનું પાણી આવ્યું છેતેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો ભરીને યોગ્ય જળ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવતા 43 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છેતેમાંથી 9 લાખ ખેડૂતો 7 લાખથી વધુ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વધુમાં રાજ્યમાં માર્ગોના વિસ્તુતિકરણ અને મજબુતી કરણ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં નવા ધંધા-રોજગારની તકો વિકસે તે માટે ભવિષ્યલક્ષી આયોજન થકી મુખ્યમંત્રીએ વિકસીત ગુજરાતના નિર્માણનો નિર્ધાર કર્યો હોવાનું જણાવ્યુ હતું.

Read the Next Article

દ્વારકા : ઓખામાં બોટ રજિસ્ટ્રેશન કૌભાંડમાં પોલીસે બે એજન્ટ સહિત 11 આરોપીઓની કરી ધરપકડ,93 બોટના બનાવટી દસ્તાવેજો મળ્યા

ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી

New Update
  • ઓખામાં બોટ રજિસ્ટ્રેશન કૌભાંડનો મામલો

  • એસઓજી પોલીસે કરી કાર્યવાહી

  • બે મુખ્ય સહિત 11 આરોપીની ધરપકડ

  • ખોટા સોગંદનામા બનાવી આચર્યું કૌભાંડ 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કેઆરોપીઓએ જૂની માછીમારી બોટ અને બિલ વગર ખરીદેલી બોટ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેઓ ખોટા સોગંદનામા બનાવીને ગેરકાયદેસર રીતે જૂની બોટ માટે નવા કોલ લાયસન્સ મેળવતા હતા.

મુખ્ય આરોપીઓમાં શાફીન સબીરભાઈ ભટ્ટી જે રહેમત ફિશિંગ કન્સલ્ટિંગના માલિક છે,અને સુનિલ મનસુખભાઈ નિમાવત જે રામદૂત ઝેરોક્ષના માલિક છેતેમનો સમાવેશ થાય છે.આમ મુખ્ય બે આરોપીઓ સહિત 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસઓજી વિભાગે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓની ઓફિસમાંથી શંકાસ્પદ કોલ લાયસન્સ અને બનાવટી બિલો જપ્ત કર્યા છે.

આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીનેપોલીસે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવી છે. આ કૌભાંડની કુલ રકમ આશરે રૂપિયા ત્રણ કરોડ સુધી પહોંચી છે.