78મો સ્વતંત્રતા દિવસ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ખેડામાં ભવ્ય ઉજવણી કરાય…

સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવવામાં આવ્યો હતો.

New Update

સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છેત્યારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવવામાં આવ્યો હતો.

ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ SRP કેમ્પ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યકક્ષાના ધ્વજવંદનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતોજ્યાં 78માં સ્વાતંત્ર્ય પર્વની આન.. બાન..શાન.. સાથે ઉજવણી કરવામાં આવી હતી. 'એક ભારત શ્રેષ્ઠ ભારતસૂર વચ્ચે SRP ગ્રાઉન્ડ રાષ્ટ્ર ભક્તિના રંગમાં રંગાયુ હતું. 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પોલીસ દ્વારા રાયફલ ડ્રીલ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન હેલિકોપ્ટરથી પુષ્પાવર્ષા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાષણ આપતા જણાવ્યુ હતું કેઆયુષ્યમાન ભારતપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સૌ નાગરિકો માટે આર્શિવાદ રૂપ બની છેઆ યોજનામાં ગુજરાતમાં 2 કરોડથી વધુ જરૂરિયાતમંદોને આરોગ્ય સેવા મળી રહી છે. તો બીજી તરફઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં જે વધારાનું પાણી આવ્યું છેતેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો ભરીને યોગ્ય જળ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવતા 43 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છેતેમાંથી 9 લાખ ખેડૂતો 7 લાખથી વધુ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વધુમાં રાજ્યમાં માર્ગોના વિસ્તુતિકરણ અને મજબુતી કરણ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં નવા ધંધા-રોજગારની તકો વિકસે તે માટે ભવિષ્યલક્ષી આયોજન થકી મુખ્યમંત્રીએ વિકસીત ગુજરાતના નિર્માણનો નિર્ધાર કર્યો હોવાનું જણાવ્યુ હતું.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.