રાજ્યમાં કોરોના વાયરસના 842 કેસ નોંધાયા, 598 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
જ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 842 કેસ નોંધાયા છે. જ્યારે 598 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
BY Connect Gujarat Desk24 July 2022 3:26 PM GMT
X
Connect Gujarat Desk24 July 2022 3:26 PM GMT
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 842 કેસ નોંધાયા છે. જ્યારે 598 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.66 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ 5714 એક્ટિવ કેસ છે. જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5706 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 1231813 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 244 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 69, મહેસાણા 106, ગાંધીનગર 39, સુરત કોર્પોરેશન 42, વડોદરા 17, ગાંધીનગર કોર્પોરેશન 22 કેસ નોંધાયા છે.
Next Story