વલસાડ: કપરાડાના વાડી ગામમાં ભૂસ્ખલનમાં એક ઘર પથ્થોરોથી દબાયુ,મહારાષ્ટ્રનો માર્ગ પણ થયો પ્રભાવિત

ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો

New Update

વલસાડમાં મુશળધાર વરસાદ વરસ્યો 

Advertisment

 કપરાડામાં ડુંગર પર સર્જાયું ભૂસખ્લન

ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા 

એક મકાન માટી અને પથ્થરો નીચે દબાયું 

ઘરમાં રહેતા પરિવારનો આબાદ બચાવ  

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડાના અંતરિયાળ વાડી ગામમાં ડુંગર પર ભૂસખ્લનની ઘટના બની હતી.જેના કારણે એક મકાન ડુંગરની માટી અને પથ્થરો નીચે દબાઈ ગયું હતું,જ્યારે મહારાષ્ટ્ર તરફ જતો માર્ગ પણ પ્રભાવિત થયો હતો. 
Advertisment
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડાના અંતરિયાળ વાડી ગામમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. જેના કારણે ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું હતું. આ ઉપરાંત કપરાડા અને મહારાષ્ટ્રને જોડતા રસ્તા પર પણ ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો હતો.
સર્જાયેલી ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ડુંગરના માટી અને પથ્થર નીચે દબાયેલા ઘરમાં રહેતો પરિવાર સમયસર બહાર સુરક્ષિત જગ્યા પર ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.અને તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ડુંગર નીચેના 5 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા  હતા.જ્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ ડુંગર ઉપર જવાની મનાઈ કરી અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઘટનામાં ડુંગર પરની જમીન પણ ધસતા 5 એકર વિસ્તારમાં ખેતરોમાં પણ જમીન ધસી પડી હતી.અને ભૂસ્ખલનને કારણે કેટલાક ખેતરોનો ભાગ પણ ધસી જતાં ઉભા પાકને પણ નુકસાન થયું હતું. ભૂસ્ખલનને કારણે અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા કોઈ યોગ્ય મદદ કરવામાં આવે તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
Advertisment
Read the Next Article

સાબરકાંઠા : હાજીરપુરા નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા બે યુવાનોના કરૂણ મોત,એક ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ડમ્પરની ટક્કર ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્ર સહિત બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા.

New Update
  • પ્રાંતિજમાં ડમ્પરની અડફેટે આવતા બે યુવાનોનાં મોત

  • ડમ્પર ચાલક ભાગવા જતા કૂવામાં પડ્યો

  • સ્થાનિક લોકોમાં અકસ્માતને પગલે રોષ

  • કુવામાં પડેલા ડમ્પર ચાલકનું કરાયું રેસ્ક્યુ

  • પોલીસે અકસ્માત અંગે શરૂ કરી તપાસ 

Advertisment

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ડમ્પરની ટક્કર ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્ર સહિત બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે પિતા ઈજાગ્રસ્ત થતા  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટના બાદ ડમ્પર ચાલક ભાગવા જતા કૂવામાં પડ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા રોડ પર હજીરપુરા પાસે કાળમુખા ડમ્પરે અડફેટે લેતા બે બાઈક સવારના મોત નિપજ્યાં છે. બંને યુવકોના અકાળે મોતને પગલે સ્થાનિકોમાં રોષે ભરાયા હતા.રોષે ભરાયેલા ટોળાએ ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોનો ગુસ્સો જોઈ અંધારામાં ભાગવા જતા ડમ્પર ચાલક કૂવામાં પડ્યો હતો.40 ફૂટ ઉંડા કુવામાં પડેલા ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.

સર્જાયેલા અકસ્માતમાં ગદરજી સુરેશજી ચૌહાણ ઉં.વ. 23 અને અર્જુનજી મંગાજી ચૌહાણ (પુત્ર) ઉં.વ. 25ના કરૂણ મોત નિપજ્યા છે.જ્યારે મૃતક અર્જુનજીના  પિતા મંગાજી જવાનજી ચૌહાણ ઉં.વ. 50ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

 

Advertisment