વલસાડ: કપરાડાના વાડી ગામમાં ભૂસ્ખલનમાં એક ઘર પથ્થોરોથી દબાયુ,મહારાષ્ટ્રનો માર્ગ પણ થયો પ્રભાવિત

ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો

New Update

વલસાડમાં મુશળધાર વરસાદ વરસ્યો 

 કપરાડામાં ડુંગર પર સર્જાયું ભૂસખ્લન

ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા 

એક મકાન માટી અને પથ્થરો નીચે દબાયું 

ઘરમાં રહેતા પરિવારનો આબાદ બચાવ  

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડાના અંતરિયાળ વાડી ગામમાં ડુંગર પર ભૂસખ્લનની ઘટના બની હતી.જેના કારણે એક મકાન ડુંગરની માટી અને પથ્થરો નીચે દબાઈ ગયું હતું,જ્યારે મહારાષ્ટ્ર તરફ જતો માર્ગ પણ પ્રભાવિત થયો હતો. 
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડાના અંતરિયાળ વાડી ગામમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. જેના કારણે ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું હતું. આ ઉપરાંત કપરાડા અને મહારાષ્ટ્રને જોડતા રસ્તા પર પણ ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો હતો.
સર્જાયેલી ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ડુંગરના માટી અને પથ્થર નીચે દબાયેલા ઘરમાં રહેતો પરિવાર સમયસર બહાર સુરક્ષિત જગ્યા પર ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.અને તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ડુંગર નીચેના 5 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા  હતા.જ્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ ડુંગર ઉપર જવાની મનાઈ કરી અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઘટનામાં ડુંગર પરની જમીન પણ ધસતા 5 એકર વિસ્તારમાં ખેતરોમાં પણ જમીન ધસી પડી હતી.અને ભૂસ્ખલનને કારણે કેટલાક ખેતરોનો ભાગ પણ ધસી જતાં ઉભા પાકને પણ નુકસાન થયું હતું. ભૂસ્ખલનને કારણે અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા કોઈ યોગ્ય મદદ કરવામાં આવે તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ