સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે અસુવિધાઓ સામે  સામાજિક કાર્યકર દ્વારા થાળી વેલણ વગાડીને તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ થઈ ગયો છે અને અનેકવાર રસ્તાની રજુઆત બાદ પણ માત્ર થીંગડા મારી ચલાવવામાં આવતું હોય તેવુ હાલ તો સ્પષ્ટ પણે જણાઈ આવે છે

New Update

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ થઈ ગયો છે

અને અનેકવાર રસ્તાની રજુઆત બાદ પણ માત્ર થીંગડા મારી ચલાવવામાં આવતું હોય તેવુ હાલ તો સ્પષ્ટ પણે જણાઈ આવે છે,અને જેને લઈને વાહન ચાલકો તથા રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે.જ્યારે સફાઈ ના અભાવે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત મચ્છરનો ઉપદ્રવ, રખડતી ગાયોને લઇને રજુઆત બાદ કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
જે અંગે સામાજિક કાર્યકર અનીલ પટેલ દ્વારા પ્રાંતિજ ત્રણ રસ્તા થી હાથમા થાળી વેલણ લઈ વગાડી ને ત્રણ કિલોમીટર સુધી ચાલીને પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે જઈને પ્રાંતિજ મામલતદાર જૈમીન શાહ તથા પ્રાંત કચેરી ખાતે થાળી વેલણ વગાડી ને અનોખો વિરોધ કર્યો હતો. અને જો આવનાર દિવસોમાં સમસ્યાનો હલ નહી આવે તો હિંમતનગર ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. 
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.