સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે અસુવિધાઓ સામે  સામાજિક કાર્યકર દ્વારા થાળી વેલણ વગાડીને તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ થઈ ગયો છે અને અનેકવાર રસ્તાની રજુઆત બાદ પણ માત્ર થીંગડા મારી ચલાવવામાં આવતું હોય તેવુ હાલ તો સ્પષ્ટ પણે જણાઈ આવે છે

New Update

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ થઈ ગયો છે

અને અનેકવાર રસ્તાની રજુઆત બાદ પણ માત્ર થીંગડા મારી ચલાવવામાં આવતું હોય તેવુ હાલ તો સ્પષ્ટ પણે જણાઈ આવે છે,અને જેને લઈને વાહન ચાલકો તથા રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે.જ્યારે સફાઈ ના અભાવે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત મચ્છરનો ઉપદ્રવ, રખડતી ગાયોને લઇને રજુઆત બાદ કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
જે અંગે સામાજિક કાર્યકર અનીલ પટેલ દ્વારા પ્રાંતિજ ત્રણ રસ્તા થી હાથમા થાળી વેલણ લઈ વગાડી ને ત્રણ કિલોમીટર સુધી ચાલીને પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે જઈને પ્રાંતિજ મામલતદાર જૈમીન શાહ તથા પ્રાંત કચેરી ખાતે થાળી વેલણ વગાડી ને અનોખો વિરોધ કર્યો હતો. અને જો આવનાર દિવસોમાં સમસ્યાનો હલ નહી આવે તો હિંમતનગર ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. 
Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.