શ્રાવણ સોમવાર અને રક્ષાબંધનનો અનોખો સંયોગ, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિસમુદ્ર છલકાયો...

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો.

New Update

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો.

પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવારપૂર્ણિમારક્ષાબંધનનો સુભગ સમન્વય સર્જાતા શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો. વહેલી સવારથી જ મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા મુકાયા હતાત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા. સોમનાથ મહાદેવને સવારનો શ્રૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કરાયા હતાઅને સમગ્ર વિશ્વની રક્ષાની કામના કરવામાં આવી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી. આ સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનાર સૈનિકોના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માગ્યા હતા.

Read the Next Article

અમદાવાદમાં કોરોના કેસ વધ્યા, કોરોનાના નવા 127 કેસ નોંધાયા

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

જે બાબત ચિંતાજનક છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર  પહોંચી છે.  અમદાવાદ સોલા સિવિલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. અમદાવાદ અસારવા સિવિલમાં 3 દર્દી સારવાર હેઠળ છે. 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ  કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે.  78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.