શ્રાવણ સોમવાર અને રક્ષાબંધનનો અનોખો સંયોગ, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિસમુદ્ર છલકાયો...

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો.

New Update

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો.

Advertisment

પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવારપૂર્ણિમારક્ષાબંધનનો સુભગ સમન્વય સર્જાતા શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો. વહેલી સવારથી જ મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા મુકાયા હતાત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા. સોમનાથ મહાદેવને સવારનો શ્રૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કરાયા હતાઅને સમગ્ર વિશ્વની રક્ષાની કામના કરવામાં આવી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી. આ સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનાર સૈનિકોના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માગ્યા હતા.

Advertisment
Read the Next Article

દાહોદ : બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપી આચાર્યને ફટકારી 10 વર્ષની સજા,પોલીસ તપાસ સામે શંકા!

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી.

New Update
  • દાહોદમાં બહુચર્ચિત દુષ્કર્મના કેસનો મામલો

  • શાળાના આચાર્ય સામે નોંધાયો હતો ગુનો

  • લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટે ફટકારી સજા

  • આરોપીને 10 વર્ષની કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો

  • પોલીસ તપાસ સામે ઉઠ્યા સવાલ 

Advertisment

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી. આ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરીને તેની હત્યા શાળાના આચાર્ય ગોવિંદ નટે કરી હતી. આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.જોકે સમગ્ર કેસમાં પોલીસ તપાસ સામે સવાલો ઉભા થયા છે.

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાની છ વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બળાત્કાર બાદ રાજ્યભરમાં ઘટના અંગે રોષ જોવા મળ્યો હતો. સરકાર પક્ષે ઘટનાના માત્ર 12 દિવસમાં ગંભીરતા પૂર્વક ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેમાં 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.31 સાક્ષી સરકાર પક્ષે તપાસ્યા ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા.આ કેસમાં માત્ર 34 હિયરિંગમાં જ કેસની ટ્રાયલ પૂર્ણ થઈ હતી.આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જોકે બચાવપક્ષના વકીલના જણાવ્યા અનુસારકોર્ટે પોક્સો અને હત્યાના કેસને નકારી દીધો છે,અને કોર્ટે ગંભીર બેદરકારી માટે BNSની કલમ 105(2) હેઠળ સજા કરી છે. પોલીસે જે પણ તપાસ કરી હતી,અને જે પુરાવા રજૂ કર્યા હતા,તે કોર્ટે માન્ય નથી રાખ્યા. નોંધનીય છે કેકોર્ટે આ કલમ હેઠળ થતી વધુમાં વધુ સજા આરોપીને આપી છે.

Advertisment