ABVPનું વિરોધ પ્રદર્શન : SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળતા રાજ્યભરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ...

રાજ્યભરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, ત્યારે સુરતમાં પણ ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી બહાર એકઠા થયા હતા,

author-image
By Connect Gujarat Desk
New Update
  • ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલયનો નિર્ણય

  • જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાય

  • સરકારના નિર્ણય વિરુદ્ધ રાજ્યભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયા

  • માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાય

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગ સાથે રાજ્યભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા તા. 28 ઓક્ટોબર-2024ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબમેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છેત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનયરીંગનર્સિંગ જેવી કૉલેજમાં સ્કૉલરશિપ સહાયથી એડમિશન લઇ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવ્યો હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે.

સમગ્ર મામલે રાજ્યભરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતુંત્યારે સુરતમાં પણABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી બહાર એકઠા થયા હતાજ્યાં "વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો", "શિક્ષણ અમારો અધિકાર છે", "જનજાતી શિષ્યવૃત્તિ પાછી લાવો" જેવા ઉગ્ર સૂત્રોચાર સાથે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. માત્ર સૂત્રોચાર જ નહીં પણ રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ કરતાં વિદ્યાર્થી સંગઠન અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે એકબાદ એક વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

જોકેઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં વહીવટી તંત્રના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. બોહળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખીરાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકીABVP સ્પષ્ટ માંગ કરે છે કેશિષ્યવૃતિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહીં તથા વેકેન્ટ/ગવર્નમેન્ટ ક્વોટા સીટોને મેનેજમેન્ટ ક્વોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ્દ કરવામાં આવે. જેને લઈને ભરૂચ શહેરના કોલેજ રોડ પર અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા સરકારના શિષ્યવૃતિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છેત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રાધ્યાપકના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. ગત વર્ષે પણABVP દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાના મુદ્દા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યા હતાત્યારે આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ બંધ કરવામાં આવતા જુનાગઢ શહેરના મોતીબાગ સર્કલ ખાતેABVPના કાર્યકરોએ રોકો આંદોલન યોજી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ ગુજરાત સરકારના પરિપત્રની હોળી કરી ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી હતી. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નિર્ણય ન આવતા વિરોધ કરી રહેલાABVPના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કેગુજરાતના કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓને રાહતદરે સુલભ શિક્ષણ મળી રહે તે માટે તમામ ગ્રાન્ટેડ લો કોલેજોની સ્થિતિમાં સુધારો અતિઆવશ્યક જણાઈ રહ્યો છે. વિદ્યાર્થી હિતમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન થકી સ્પષ્ટ માંગ કરે છે કેસરકાર દ્વાર રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવેઅને આ તમામ કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તથા ત્વરિતપણે પ્રશ્નના નિરાકરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવીABVP દ્વારા માંગ કરવામાં આવી છે. તાપી ખાતે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા તાપી જિલ્લા સેવાસદન બહાર બેસીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વારંવાર આવેદન પત્રો આપવા છતાં આજદિન સુધી કોઈ નિર્ણય નહીં આવતાABVP દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે. જોઆગમી દિવસોમાંABVPની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

જુનાગઢ : સાસણ સિંહ સદન ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો, સિંહ સરંક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરાય...

જુનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં સિંહ સરંક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય

  • રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં આયોજન કરાયું

  • સિંહ સરંક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન

  • સિંહ સરંક્ષણ અંગેના 2 પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું

  • દેશ-વિદેશના 160થી વધુ ડેલીગેટ્સની પણ વિશેષ ઉપસ્થિતી

જુનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં સિંહ સરંક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રિય પર્યાવરણ અને વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયઇન્ટરનેશનલ બીગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુકત ઉપક્રમે સૌપ્રથમવાર જુનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારના દરમ્યાન સિંહ સરંક્ષણ વિષય અંગેના 2 પ્રકાશનોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સિંહ સરંક્ષણ વિષય અંગે રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં સિંહની વસ્તીપ્રજાતિઓની પુનઃ પ્રાપ્તિસંશોધનપડકારો અને નિતિ વિષયક બાબતો પર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ચર્ચા કરવામાં આવી હતી. વનમંત્રી મુળુ બેરાએ જણાવ્યુ હતું કેચાલુ વર્ષે ખૂબ મોટાપાયે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

અમરેલીના જાફરાબાદ રેન્જમાં વાયરસના કારણે 3 સિંહબાળના મૃત્યુ થયા છે. જોકેઆ સમૂહના અન્ય 6 સિંહબાળ અને 3 સિંહણ પર વન વિભાગની દેખરેખ છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોયત્યારે આવા સિંહબાળને બચાવવા મુશ્કેલ થતાં હોય છેત્યારે વન વિભાગના વેટરનરી ડોક્ટરની ટીમે આ સમૂહના બાળસિંહના બ્લડ સેમ્પલ લીધા છે. વધુમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ અને રેવન્યુ વિસ્તારમાં વસતા સિંહ પર દેખરેખ રાખવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છેજ્યારે રાજ્યસભાના સાંસદ અને સિંહપ્રેમી પરિમલ નથવાણીએ જણાવ્યુ હતું કેસાસણ ગીરમાં ભારણ વધી રહ્યું છેલોકોને સિંહ દર્શન માટે જગ્યા નથી મળતીત્યારે આવા સમયે બરડાની શરૂઆત થતાં સાસણનું ભારણ ઘટશે. બરડા સિવાય અન્ય લોકેશન પણ બનાવવા જોઈએ. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સથી સિંહ સંરક્ષણ માટે વધુ મજબૂતીથી કામ થશે અને તેના સારાં પરિણામો જોવા મળશે. આ પ્રસંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓસામાજિક સંસ્થાઓવૈજ્ઞાનિકોનિષ્ણાંતો તેમજ દેશ-વિદેશના 160થી વધુ ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.