સૌની યોજનાએ કચ્છ અને સૌરાષ્ટ્રને નવુ જીવન આપ્યું,વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેના દુધાળા ખાતે વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમણે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.

New Update
a

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેના દુધાળા ખાતે વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમણે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બાદ અમરેલી ખાતે પહોંચ્યા હતા,જ્યાં તેઓએ ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું,અને આ સાથે જ તેઓએ રૂપિયા 4800 કરોડના 1600 જેટલા વિકાસ કાર્યોની ભેટ આપી હતી,અને આ પ્રસંગે PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે,ગુજરાતના અનેક વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણનો આજે મને અવસર મળ્યો છે.આપણા વડોદરામાં દેશની એવી એક ફેક્ટરીનું ઉદ્ધાટન થયું છે. જેમાં આપણી વાયુસેના માટે હવાઈ જહાજ બનાવવામાં આવશે. વધુમાં કહ્યું કેમને અહીં અમરેલીમાં આવીને ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો મહત્વનો અવસર મળ્યો છે. આ તમામ વિકાસ કાર્યો સૌરાષ્ટ્ર-કચ્છ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સૈરાષ્ટ્ર અને અમરેલીના ધરતીનો ગૌરવશાળી ભૂતકાળ રહેલો છે. આ એ જ ભૂમિ છે જેણે યોગીજી મહારાજ આપ્યાઆ એ જ ભૂમિ છે જેને ભોજો ભગત આપ્યો છે.તેમણે વધુમાં કહ્યું કેપાણીનું મહત્વ જાણીએ છીએ માટે દેશમાં જલ શક્તિ મંત્રાલય બનાવ્યું છે.PM મોદીએ કહ્યું કેમેં સૌની યોજના લોન્ચ કરી હતી,ત્યારે વાઘ દેખા લોકોએ કેટલીક હેડલાઈન્સ બનાવી હતી કેમોદીએ ચૂંટણી નજીક આવે છે એટલે સગુફા જોડ્યા છે. પરંતુ આ સૌની યોજનાએ કચ્છ અને સૌરાષ્ટ્રને નવું જીવન આપી દીધું છે. જે સપનું હતું તે સંકલ્પ સાથે પૂરૂ કરી દીધું અને હવે લીલીછમ ધરતી જોઈને આનંદ થાય છે. ગામનું પાણી ગામમાં રહે અને સીમનું પાણી સીમમાં રહે છે તે અંગે પણ વાત કરી હતી. વધુમાં કહ્યું કેઅમરેલીના કેસર કેરીને પણ હવે GI ટેગ મળ્યો છે. દુનિયાભરમાં તે અમરેલીની એક નવી ઓળખ અને આબરૂ ઉભી કરી છે. પ્રાકૃતિ ખેતીમાં પણ એમરેલીના ખેડૂતો ખૂબજ જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છે. પહેલી નેચરલ ફાર્મિગની કોલેજ પણ અમરેલીને મળી છે.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ,સાંસદ,ધારાસભ્યો સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગાંધીનગર : નશામાં ધૂત કાર ચાલકે રાહદારી સહિત વાહનોને અડફેટે લેતા 4 લોકોના મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

નશાની હાલતમાં કારના બેદરકાર ચાલકે રાહદારી સહિત વાહનચાલકોને અડફેટે લેતાં આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા

New Update
  • કાર ચાલકનો નશાની હાલતમાં રફતારનો કહેર

  • રાંદેસણ પાસે સિટીપલ્સ સર્વિસ રોડ પરની ઘટના

  • કાર ચાલકે રાહદારી અને વાહનોને અડફેટે લીધાં

  • ગંભીર દુર્ઘટનામાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં

  • CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં નશાની હાલતમાં કારના બેદરકાર ચાલકે કેટલાક રાહદારી સહિત વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યાં છેજ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાંથી અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. રાંદેસણના ભાઇજીપુરાથી સિટીપલ્સવાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાંGJ-18-EE-7887 નંબરની ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી સહિત વાહનચાલકોને અડફેટે લેતાં આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યાં છેજ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છેજ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

જોકેઆ કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલી છેઅને અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું છેજ્યારે નજીકમાં શુકન સ્કાય બિલ્ડિંગનાCCTVમાં સમગ્ર ઘટના કેદ થવા પામી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેકારની સ્પીડ લગભગ 100થી વધુ હશે. આ તરફબનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતોજ્યાંCCTV ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે કારના બેદરકાર ચાલકને રાઉન્ડઅપ કરી લીધો હોવાની વિગત પણ સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ દુર્ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભય અને રોષ ફેલાયો છે. લોકો વાહનચાલકોને વધુ જવાબદાર બનવાની અપીલ કરી રહ્યા છેઅને બેદરકારીભર્યા ડ્રાઈવિંગ સામે કડક પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે.