સૌની યોજનાએ કચ્છ અને સૌરાષ્ટ્રને નવુ જીવન આપ્યું,વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેના દુધાળા ખાતે વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમણે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.

New Update
a

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેના દુધાળા ખાતે વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમણે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બાદ અમરેલી ખાતે પહોંચ્યા હતા,જ્યાં તેઓએ ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું,અને આ સાથે જ તેઓએ રૂપિયા 4800 કરોડના 1600 જેટલા વિકાસ કાર્યોની ભેટ આપી હતી,અને આ પ્રસંગે PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે,ગુજરાતના અનેક વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણનો આજે મને અવસર મળ્યો છે.આપણા વડોદરામાં દેશની એવી એક ફેક્ટરીનું ઉદ્ધાટન થયું છે. જેમાં આપણી વાયુસેના માટે હવાઈ જહાજ બનાવવામાં આવશે. વધુમાં કહ્યું કેમને અહીં અમરેલીમાં આવીને ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો મહત્વનો અવસર મળ્યો છે. આ તમામ વિકાસ કાર્યો સૌરાષ્ટ્ર-કચ્છ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સૈરાષ્ટ્ર અને અમરેલીના ધરતીનો ગૌરવશાળી ભૂતકાળ રહેલો છે. આ એ જ ભૂમિ છે જેણે યોગીજી મહારાજ આપ્યાઆ એ જ ભૂમિ છે જેને ભોજો ભગત આપ્યો છે.તેમણે વધુમાં કહ્યું કેપાણીનું મહત્વ જાણીએ છીએ માટે દેશમાં જલ શક્તિ મંત્રાલય બનાવ્યું છે.PM મોદીએ કહ્યું કેમેં સૌની યોજના લોન્ચ કરી હતી,ત્યારે વાઘ દેખા લોકોએ કેટલીક હેડલાઈન્સ બનાવી હતી કેમોદીએ ચૂંટણી નજીક આવે છે એટલે સગુફા જોડ્યા છે. પરંતુ આ સૌની યોજનાએ કચ્છ અને સૌરાષ્ટ્રને નવું જીવન આપી દીધું છે. જે સપનું હતું તે સંકલ્પ સાથે પૂરૂ કરી દીધું અને હવે લીલીછમ ધરતી જોઈને આનંદ થાય છે. ગામનું પાણી ગામમાં રહે અને સીમનું પાણી સીમમાં રહે છે તે અંગે પણ વાત કરી હતી. વધુમાં કહ્યું કેઅમરેલીના કેસર કેરીને પણ હવે GI ટેગ મળ્યો છે. દુનિયાભરમાં તે અમરેલીની એક નવી ઓળખ અને આબરૂ ઉભી કરી છે. પ્રાકૃતિ ખેતીમાં પણ એમરેલીના ખેડૂતો ખૂબજ જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છે. પહેલી નેચરલ ફાર્મિગની કોલેજ પણ અમરેલીને મળી છે.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ,સાંસદ,ધારાસભ્યો સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.