અમરેલી: કોડીનારના ફકીર પદયાત્રા ખેડીને મક્કા મદીનાની મુબારક સફરે રવાના થયા

આશરે 15 માસ ચાલીને ભારત દેશની આન બાન અને શાન સમા તિરંગો મક્કા મદીના ખાતે લહેરાવવાની દ્રઢ મનોબળ ઈચ્છા સાથે નીકળ્યા છે.

New Update
  • મક્કા મદીના સુધી ફકીરની પદયાત્રા 

  • કોડીનારના ફકીરે શરૂ કરી સંઘર્ષમય સફર 

  • અમરેલીમાં દયાવાન બાપુનું કરાયું સન્માન 

  • અંદાજિત 15 મહિના પદયાત્રા ખેડીને મક્કા પહોંચશે

  • મક્કા મદીના ખાતે તિરંગો લહેરાવવાનો કર્યો દ્રઢ સંકલ્પ 

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ફકીર પદયાત્રા દ્વારા મક્કા મદીનાની મુબારક સફરે રવાના થયા છે.ત્યારે આશરે 15 માસ ચાલીને ભારત દેશની આન બાન અને શાન સમા તિરંગો મક્કા મદીના ખાતે લહેરાવવાની દ્રઢ મનોબળ ઈચ્છા સાથે નીકળ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મહંમદ રફાઈ ઉર્ફે દયાવાન બાપુ તારીખ ડિસેમ્બર 2024 ના રોજ કોડીનારથી ચાલીને પદયાત્રા દ્વારા છેક મક્કા મદીના સુધી હજાર કિલોમીટર સફર ખેડીને કરવા રવાના થયેલા છે.દિવસની પદયાત્રામાં તેઓ અમરેલી જિલ્લા સાવરકુંડલા સુધી પહોંચ્યા હતા.જ્યાં સૂફીસંત દાદા બાપુ કાદરીના દીકરા મુનીર બાપુ દ્વારા પદયાત્રી દયાવાન બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું.અને મક્કા મદીનાની સફર વખતે પહેરવામાં આવતો અહેરામ અર્પણ કરવામાં આવ્યો હતો.

પદયાત્રી દયાવાન બાપુ સાવરકુંડલાથી અમરેલી અને અજમેર શરીફને ત્યાંથી દિલ્હી,વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન,ઈરાન,ઈરાક થઈને સાઉદી અરેબિયા પહોંચશે.અને વર્ષ 2026માં પદયાત્રા દ્વારા ચાલીને મક્કા મદીનાની સફરે પહોંચશે. ત્યારે ઠેકઠેકાણે આ દયાવાન બાપુનુ ઉમળકાથી સન્માન થઈ રહ્યું છે. જ્યારે 1986માં આ પદયાત્રા દ્વારા મક્કા મદીનાની સફર કરવાનું મનોમન નક્કી કર્યું હતું પણ સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરીને ડિસેમ્બરે પદયાત્રાની શરૂઆત કરી છે.અંદાજે રોજના 35 કિલોમીટરનું અંતર કાપીને કુલ હજાર કિલોમીટરનું અંતર કાપતા આશરે 15 મહિના જેવો સમય ગાળો પદયાત્રા દ્વારા પૂર્ણ કરવાનો ધ્યેય સાથે હાથમાં તિરંગો અને લારીમાં તિરંગો લઈને દેશની આન બાન અને શાન સમા તિરંગાને મક્કા મદીનાની સર જમી પર લહેરાવવાના બુલંદ ઈરાદા સાથે નીકળી પડ્યા છે.

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.