અમરેલી: માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓએ અગ્નિકાંડના મૃતકોને અશ્રુભિની આંખે શ્રદ્ધાસુમન કર્યા અર્પણ

રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ હતભાગીઓને સાવરકુંડલાના માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓ અશ્રુભીની આંખે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા

New Update
અમરેલી: માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓએ અગ્નિકાંડના મૃતકોને અશ્રુભિની આંખે શ્રદ્ધાસુમન કર્યા અર્પણ

રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ હતભાગીઓને સાવરકુંડલાના માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓ અશ્રુભીની આંખે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા

રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડને કારણે સમગ્ર ગુજરાત વ્યથિત થઈ ઉઠ્યું છે ગેમઝોન કાંડથી ઠેર ઠેર મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવાઇ રહી છે ત્યારે સાવરકુંડલાના હાથસણી નજીક આવેલા માનવ મંદીર આશ્રમ ખાતે સંત શિરોમણી ભકતિબાપુની નિશ્રામાં માનસિક દિવ્યાંગ દીકરીઓએ રાજકોટ ગેમઝોન કાંડમાં અકાળે બુજાયેલા દીપકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દીકરીઓ દ્વારા માનવ મંદિર ખાતે મીણબત્તી પ્રગટાવીને સદગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામધૂન સાથે દિવંગત આત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી