અમરેલી : અમર ડેરી દ્વારા યોજાયો મિલ્ક "શરદોત્સવ", કેન્દ્રીય મંત્રીએ બોલાવી રાસની રમઝટ...

અમરેલી જિલ્લાની અમર ડેરી દ્વારા દર વર્ષે શરદ પુનમ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે,

New Update
અમરેલી : અમર ડેરી દ્વારા યોજાયો મિલ્ક "શરદોત્સવ", કેન્દ્રીય મંત્રીએ બોલાવી રાસની રમઝટ...

અમરેલી જિલ્લાની અમર ડેરી દ્વારા દર વર્ષે શરદ પુનમ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે, ત્યારે આ વર્ષે મિલ્ક શરદોત્સવ-2022માં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ ખેલૈયાઓ સંગ રાસની રમઝટ બોલાવી હતી.

શરદ પૂનમની રઢિયાળી રાત હોય, ને ચાંદ આસમાને સોળે કળાએ ખીલ્યો હોય, ત્યારે ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવતા હોય છે. તેવામાં નેતાઓ પણ તાળીઓના તાલે રાસ રમવા તલપાપડ બની જાય એવા અમરેલીના અમર ડેરી દ્વારા ઉજવાતા મિલ્ક શરદોત્સવ-2022માં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા ખેલૈયાઓ સંગ રાસ રમ્યા હતા. આ સાથે જ નેપાળના મહિલા સાંસદે પણ શરદોત્સવમાં ગરબે ઘુમવાની મજા માણી હતી. વર્ષ 2007થી અમર ડેરી ખાતે મિલ્ક શરદોત્સવના આયોજનમાં હજારો ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવતા હોય છે. કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા, નેપાળના કો-ઓપરેટીવ સંસ્થાઓના વડાઓ અને આંતરરાષ્ટ્રીય સહકારી ક્ષેત્રના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં અમર ડેરી ખાતે મિલ્ક શરદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે
Latest Stories