“તારો હવાલો મળ્યો છે..!” કહી અમરેલીના કુબડા ગામે વૃદ્ધ પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગનાર 2 ખંડણીખોરની ધરપકડ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના એક મકાનમાં પ્રવેશ કરી રૂ. 1.50 લાખ પડાવી વધુ રૂ. 5 કરોડની ખંડણી માંગનાર 2 ખંડણીખોરની LCB પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update

ધારી તાલુકાના કુબડા ગામનો ચકચારી બનાવ

મકાનમાં પ્રવેશ કરી દંપતી પાસેથી લૂંટ ચલાવી

રૂ. 1.50 લાખ પડાવી 2 શખ્સો ફરાર થતાં ચકચાર

2 ખંડણીખોરની પોલીસે ધરપકડ કરી તપાસ આદરી

વધુ રૂ. 5 કરોડની પણ માંગી હતી ખંડણી : પોલીસ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના એક મકાનમાં પ્રવેશ કરી રૂ. 1.50 લાખ પડાવી વધુ રૂ. 5 કરોડની ખંડણી માંગનાર 2 ખંડણીખોરની LCB પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામમા રહેતા દલસુખ કોટડીયાના રહેણાંક મકાનમાં ગત તા. 14મી સપ્ટેમ્બર-2024ના રોજ ગેરકાયદેસર 2 અજાણ્યા વ્યક્તિઓએ પ્રવેશ કરી અપશબ્દો બોલી તારો હવાલો મળ્યો છે..” તેમ કહી આરોપી શૈલેષ ચાંદુ,મહેશ ઉર્ફે ભગો જીકાદાએ દલસુખ કોટડીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂ. 10 લાખ 2 દિવસમાં તથા વધુ રૂ. 5 કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી રૂ. 1.50 લાખ પડાવી લઈ ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે દલસુખ કોટડીયાએ ધારી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો.

જોકેઘટનાની ગંભીરતા દાખવી અમરેલી SP હિમકરસિંહ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપી હતીત્યારે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી બન્ને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. હાલ ધારી પોલીસ દ્વારા બન્ને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકેખડણી માંગવા પાછળનું કારણ તેમજ કોણે હવાલો આપ્યો હતોઆ સહિત જુદી જુદી દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.