“તારો હવાલો મળ્યો છે..!” કહી અમરેલીના કુબડા ગામે વૃદ્ધ પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગનાર 2 ખંડણીખોરની ધરપકડ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના એક મકાનમાં પ્રવેશ કરી રૂ. 1.50 લાખ પડાવી વધુ રૂ. 5 કરોડની ખંડણી માંગનાર 2 ખંડણીખોરની LCB પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update

ધારી તાલુકાના કુબડા ગામનો ચકચારી બનાવ

મકાનમાં પ્રવેશ કરી દંપતી પાસેથી લૂંટ ચલાવી

રૂ. 1.50 લાખ પડાવી 2 શખ્સો ફરાર થતાં ચકચાર

2 ખંડણીખોરની પોલીસે ધરપકડ કરી તપાસ આદરી

વધુ રૂ. 5 કરોડની પણ માંગી હતી ખંડણી : પોલીસ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના એક મકાનમાં પ્રવેશ કરી રૂ. 1.50 લાખ પડાવી વધુ રૂ. 5 કરોડની ખંડણી માંગનાર 2 ખંડણીખોરનીLCB પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામમા રહેતા દલસુખ કોટડીયાના રહેણાંક મકાનમાં ગત તા. 14મી સપ્ટેમ્બર-2024ના રોજ ગેરકાયદેસર 2 અજાણ્યા વ્યક્તિઓએ પ્રવેશ કરી અપશબ્દો બોલીતારો હવાલો મળ્યો છે..” તેમ કહી આરોપી શૈલેષ ચાંદુ,મહેશ ઉર્ફે ભગો જીકાદાએ દલસુખ કોટડીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂ. 10 લાખ 2 દિવસમાં તથા વધુ રૂ. 5 કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી રૂ. 1.50 લાખ પડાવી લઈ ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે દલસુખ કોટડીયાએ ધારી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો.

જોકેઘટનાની ગંભીરતા દાખવી અમરેલીSP હિમકરસિંહ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપી હતીત્યારે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી બન્ને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. હાલ ધારી પોલીસ દ્વારા બન્ને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકેખડણી માંગવા પાછળનું કારણ તેમજ કોણે હવાલો આપ્યો હતોઆ સહિત જુદી જુદી દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.