અમરેલી : લેટર કાંડ મુદ્દે પરેશ ધાનાણીનું નારી સ્વાભિમાન આંદોલન ,ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો

અમરેલીના બહુ ચર્ચિત લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે.

New Update
  • લેટર કાંડ મુદ્દે રાજકારણ ગરમાયું

  • પાયલ ગોટીની લેટર કાંડમાં થઇ હતી ધરપકડ

  • યુવતીનું પોલીસે કાઢ્યુ હતું સરઘસ

  • પોલીસની કાર્યવાહી સામે પાટીદાર સમાજમાં રોષ વ્યાપ્યો

  • યુવતીને ન્યાય માટે પરેશ ધાનાણી આમરણાંત ઉપવાસ પર બેઠા 

અમરેલીના બહુ ચર્ચિત લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. 24 કલાકના અલ્ટિમેટમ બાદ આજથી રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે.

અમરેલીમાં લેટર કાંડ બાદ રાજકારણ ગરમાયું છે,બહુ ચર્ચિત લેટર કાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી.અને પોલીસ દ્વારા સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું,ત્યાર બાદ પાટીદાર સમાજમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો હતો.ત્યારે અમરેલીના કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે.અને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.

આ આંદોલનમાં લલિત કગથરાપૂર્વ ધારાસભ્ય લલિત વસોયાપૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.